વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર
July 13, 2025

જામનગર : જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વડવાળા ગામના સરપંચ રામશી બેરા આજે રવિવારે સવારે પોતાની મોટર સાયકલ લઈ વડવાળાથી માનતા ઉતારવા ગયા હતા, જે દરમ્યાન પરત ફરતી વેળાએ વડવાળા ધોરીયાના માર્ગ ઉપર આડું બળદ ગાડું રાખી સરપંચપદ માંથી રાજીનામું આપી દે, તેમ કહી છ થી સાત જેટલા શખ્શો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર રાખી લાકડી તેમજ કુહાડીઓથી જીવલેણ હુમલો કરાયો હતો.
દરમિયાન રામશી દ્વારા પોતાની પાસે રહેલી રિવોલ્વર માંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કરતાં તેઓની રિવોલ્વર પણ ઝુંટવીને જીવલેણ હુમલો કરી દીધો હતો અને રિવોલ્વર લઈને તમામ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. જેથી સરપંચ રામશી બેરાને હાથ અને પગમાં ગંભીર ઇજા થવા પામી છે. અને તેઓને સારવાર માટે સૌપ્રથમ જામજોધપુરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે.
આ હુમલો કરનાર આરોપીઓ પૈકીના એક આરોપીએ તાજેતરમાં રામશી બેરા સામે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી હોવાનું સામે આવ્યું છે. જે ચૂંટણીના મન દુઃખના કારણે આ હુમલાની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. ગ્રામ પંચાયતની જ્યારે ચૂંટણી યોજાઈ હતી, તે સમયે પણ સરપંચ પદના ઉમેદવાર રામશી બેરા દ્વારા ચૂંટણી દરમિયાન વડવાળા ગ્રામ પંચાયતમાં આવેલા ભડાનેશના બુથને સંવેદનશીલ બુથની યાદીમાં સમાવેશ કરવાની અને સીસીટીવી કેમેરા સહિત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે પણ અરજી કરવામાં આવી હતી. આ બનાવને લઈને જામજોધપુર પંથકમાં ભારે હલચલ મચી ગઈ છે.
Related Articles
હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો
હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ,...
Sep 10, 2025
સરકાર દ્વારા નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા માટે પ્રયાસ ચાલુ છે : ઋષિકેશ પટેલ
સરકાર દ્વારા નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓને...
Sep 10, 2025
બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ, 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ
બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થ...
Sep 09, 2025
ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ
ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયુ...
Sep 09, 2025
અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી
અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુ...
Sep 09, 2025
ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર
ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી...
Sep 09, 2025
Trending NEWS

10 September, 2025

10 September, 2025

10 September, 2025

10 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025