Breaking News :
સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ ભારતે ગ્લોબલ સાઉથ ભાગીદાર બોલિવિયાને જાહેર આરોગ્ય મજબૂત કરવા 8 મેટ્રિક ટન જીવનરક્ષક દવાઓની ખેપ મોકલી વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર 64 મીટરની નજીક પહોંચતા ઘાટના પગથિયાં ડૂબ્યા, કાશી વિશ્વનાથ ધામનું ગંગા દ્વાર બંધ

સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત

August 10, 2026

રિયાધ : સાઉદી અરબમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. સાઉદી અરબના રિયાધ સ્થિત મૂસા સનૈયા વિસ્તારમાં એક સોફા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ભીષણ આગમાં 16 બાંગ્લાદેશી શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. સોમવારે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરતા મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડો શોક અને સંવેદના વ્યક્ત કરી છે.

મંત્રાલયે રવિવારે બનેલી આ ઘટના અંગે એક સત્તાવાર નિવેદન જારી કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ નુકસાનની આ મુશ્કેલ ઘડીમાં મૃતકોના પરિવારોને સંપૂર્ણ સહયોગ અને એકજૂથતાનું આશ્વાસન આપ્યું છે. તેમાં વધુમાં કહ્યું કે, તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે પોતાની ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી અને આ ભરપાઈ ન થઈ શકે તેવી ક્ષતિ તેમજ દુઃખની ઘડીમાં તેમની સાથે અડીખમ ઊભા રહેવાની ખાતરી આપી.

રિપોર્ટ્સ પ્રમાણે આ આગ સ્થાનિક સમય પ્રમાણે રવિવારે બપોરે આશરે 3:30 વાગ્યે રિયાધના ખોરદમ શહેરમાં આવેલી સોફા ફેક્ટરીમાં લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી હતી.

મંત્રાલયે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ રિયાધ સ્થિત બાંગ્લાદેશી દૂતાવાસના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ પીડિતોની ઓળખ કરવા અને મૃતદેહોને સ્વદેશ મોકલવાની જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સાઉદી અધિકારીઓ સાથે સતત સંકલન કરી રહ્યા છે. દૂતાવાસ આ ઘટના અંગે વિગતવાર માહિતી મેળવવા અને અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવાનું પણ કામ કરી રહ્યું છે.