ઓડિશામાં દલિતો સાથે બર્બરતા, ગટરનું પાણી પીવા મજબૂર કર્યા: રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં મનુસ્મૃતિ નહીં ચાલે
June 24, 2025

ઓડિશાના એક ગામમાં બે દલિત યુવકો સાથે આચરવામાં આવેલા ગેરવર્તનથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપતાં ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આ ઘટના મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, ઓડિશામાં બે દલિત યુવકોને ઘૂંટણિયે ચાલવા, ઘાસ ખાવા અને ગંદુ ગટરનું પાણી પીવા મજબૂર કર્યા છે, તે તદ્દન અમાનવીય ઘટના જ નહીં પણ મનુવાદી વિચારસરણીની બર્બરતા છે.
આગળ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ઘટના એવા લોકોને અરીસો બતાવે છે કે, જેઓ બૂમો પાડીને કહી રહ્યા છે કે, જાતિ હવે મુદ્દો રહ્યો નથી. દલિતોની ગરિમાને કચડતી આ ઘટના બાબા સાહેબના બંધારણ પર પ્રહાર સમાન છે. સમાનતા, ન્યાય અને માનવતા વિરુદ્ધ ષડયંત્ર છે. ભાજપ શાસિત રાજ્યોમાં આ પ્રકારની ઘટનાઓ બનવી સામાન્ય છે. કારણકે, તેમનું રાજકારણ રોષ, નફરત અને ઊંચ-નીચના ભેદભાવ પર નભેલું છે. ખાસ કરીને ઓડિશામાં એસસી, એસટી અને મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર સતત વધી રહ્યા છે. દોષિતોને તુરંત આકરી સજા આપવી જોઈએ. દેશ બંધારણથી ચાલશે, મનુસ્મૃતિથી નહીં.
Related Articles
ભારત સાથે મોટી ટ્રેડ ડીલ થશે, ચીન સાથે પણ સોદો નક્કી...', ટ્રમ્પની જાહેરાત
ભારત સાથે મોટી ટ્રેડ ડીલ થશે, ચીન સાથે પ...
Jun 27, 2025
નેતાજીના ડ્રાઈવરને ગિફ્ટમાં મળી રૂ.150 કરોડની જમીન! સરકાર ચોંકી, તપાસ શરૂ
નેતાજીના ડ્રાઈવરને ગિફ્ટમાં મળી રૂ.150 ક...
Jun 27, 2025
'એક દેશ નથી ઇચ્છતો કે આતંકવાદ પર વાત થાય', જયશંકરે પાકિસ્તાનની ખોલી પોલ
'એક દેશ નથી ઇચ્છતો કે આતંકવાદ પર વાત થાય...
Jun 27, 2025
હાઇકોર્ટે આસારામને આપી રાહત, 7 જુલાઈ સુધી હંગામી જામીનની તારીખ લંબાવાઈ
હાઇકોર્ટે આસારામને આપી રાહત, 7 જુલાઈ સુધ...
Jun 27, 2025
મનરેગા કૌભાંડ કેસ: કોંગ્રેસ દિગ્ગજ નેતા હીરા જોટવાના રિમાન્ડ મંજૂર, પુત્ર દિગ્વિજયની પણ ધરપકડ
મનરેગા કૌભાંડ કેસ: કોંગ્રેસ દિગ્ગજ નેતા...
Jun 27, 2025
‘આઝાદીમાં યોગદાન નથી ને બંધારણ વિરુદ્ધ વાતો કરી રહ્યા છે’ ખડગેના PM મોદી પર પ્રહાર
‘આઝાદીમાં યોગદાન નથી ને બંધારણ વિરુદ્ધ વ...
Jun 25, 2025
Trending NEWS

27 June, 2025

27 June, 2025

27 June, 2025

26 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025