ઇન્ડિગો સંકટ હજુ પણ યથાવત, દિલ્હી-બેંગલુરુમાં 160 ફ્લાઇટ્સ થઇ રદ્દ
December 13, 2025
એરલાઇન્સના દાવાઓ અને સંસ્થાની કાર્યવાહી વચ્ચે ઇન્ડિગોનું સંકટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યુ છે. શુક્રવારે એટલે કે 12 ડિસેમ્બરે માત્ર દિલ્હી અને બેંગલુરુથી 160 ફ્લાઇટ્સ રદ્દ થવાના સામાચાર સામે આવી રહ્યા છે. DGCA દ્વારા કાર્યવાહી કરતાં ચાર અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, પરંતુ હકીકતમાં મુસાફરોને હજુ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગયા એક અઠવાડિયાથી ચાલી આવતી ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલ અને ક્રાઇસિસની વચ્ચે શુક્રવારે પણ દેશના બે મુખ્ય એરપોર્ટ પરથી એરલાઇન્સની આશરે 160 ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે.આ દરમિયાન એરલાઇનએ જણાવ્યું છે કે 12 ડિસેમ્બરે 2050થી વધુ ફ્લાઇટ્સ ચલાવવાની અપેક્ષા છે. 9 ડિસેમ્બર 2025થી ઓપરેશન્સ સ્થિર થઈ ગયા છે. સમયસર ફ્લાઇટ્સ ઇન્ડિગોના ધોરણો પર પાછી આવી ગઈ છે. નેટવર્કમાં તમામ 138 સ્થળો જોડાઈ ગયા છે.
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, શુક્રવારે ઇન્ડિગોએ દિલ્હી અને બેંગલુરુમાંથી કુલ 160 ફ્લાઇટ્સ રદ્દ કરી. આ આંકડો ચિંતાજનક છે, કારણ કે તેના એક દિવસ પહેલાં, ગુરુવારે પણ આ બંને એરપોર્ટ પરથી 200થી વધુ ફ્લાઇટ્સ રદ્દ થઇ હતી, જેમાં હજારો મુસાફરો અસરગ્રસ્ત થયા હતા. શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર કુલ 105 ફ્લાઇટ્સ રદ્દ થઈ, જેમાં 52 પ્રસ્થાન અને 53 આગમન ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. જ્યારે બેંગલુરુ એરપોર્ટ પર કુલ 54 ફ્લાઇટ્સ રદ્દ થઈ, જેમાં 31 આગમન અને 23 પ્રસ્થાન સામેલ હતા.
Related Articles
કેતન અગરવાલની હત્યા કરવા વાગ્દત્તા સિયાને તેના પ્રેમીએ ઉશ્કેરી હતી
કેતન અગરવાલની હત્યા કરવા વાગ્દત્તા સિયાન...
Jun 26, 2026
ઉત્તર પ્રદેશમાં પંચાયતોની મુદ્દત પુરી છતાં સરપંચોને સત્તા આપવા નિર્ણય, હાઈકોર્ટ લાલઘૂમ
ઉત્તર પ્રદેશમાં પંચાયતોની મુદ્દત પુરી છત...
Jun 26, 2026
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
Trending NEWS
26 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026