રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિના જાતકોને ફળદાયી નીવડશે! ધન લાભ થવાની શક્યતા
November 08, 2025
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. રાહુ-કેતુને જ્યોતિષમાં છાયા અને પાપી ગ્રહ માનવામાં આવે છે, જે હંમેશા ઉલટી ચાલ ચાલે છે. પંચાંગ પ્રમાણે રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન નવેમ્બરના અંતમાં એટલે કે 23 નવેમ્બરના રોજ થશે. આનો અર્થ એ છે કે રાહુ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને શતાભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. બીજી તરફ કેતુ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કરશે.
રાહુ-કેતુ 23 નવેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે પોતાની ચાલમાં પરિવર્તન કરશે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આ બંનેની બદલાતી ચાલની દેશ-દુનિયા પર સીધી અસર પડશે. તો ચાલો જાણીએ કે રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન કઈ રાશિના જાતકોને ફળદાયી નીવડશે.
તુલા રાશિ
રાહુ-કેતુના નક્ષત્ર પરિવર્તનથી તુલા રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધન લાભની નવી તક મળશે. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિના યોગ બનશે. કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે, જેના કારણે પ્રમોશન કે પગારમાં વધારો થવાની શક્યતા છે. યાત્રા લાભદાયી સાબિત થશે. તમારા ઘર-પરિવારમાં ખુશી અને સંતુલન જળવાઈ રહેશે.
ધન રાશિ
રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન ધન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યું છે. આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ થશે અને આવકના નવા સ્ત્રોત બનશે. વિદેશ યાત્રાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. વ્યાપારમાં લાભદાયી તક મળશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે. તમારા જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે. પરિવારમાં ખુશીનો માહોલ બનશે. બાળકોના શિક્ષણ અને કરિયરમાં સારા પરિણામો પ્રાપ્ત થશે.
મકર રાશિ
રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન મકર રાશિના જાતકો માટે શુભ પરિણામો આપનારું રહેશે. આ સમયગાળા દરમિયાન આવક અને પ્રમોશનના પ્રબળ યોગ બનશે. દરેક કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે. કાર્યસ્થળ પર તમારી છબીમાં સુધીરો થશે. જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમને પણ સારી તક મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ પ્રયાસમાં મોટી સિદ્ધિ મળવાની શક્યતા છે. નસીબ તમારો સાથ આપશે અને જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે.
Related Articles
વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ
વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવ...
Feb 27, 2026
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાત...
Feb 23, 2026
મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ! 4 રાશિના જાતકો પર ધનવર્ષા નક્કી!
મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ!...
Feb 12, 2026
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિના જાતકો માટે લાવશે અચ્છે દિન!
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિના જા...
Feb 07, 2026
કન્યા-ધન સહિત આ 4 રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો શુભ! ધન, સન્માનમાં વૃદ્ધિ, સફળતા મળશે
કન્યા-ધન સહિત આ 4 રાશિના જાતકો માટે ફેબ્...
Feb 03, 2026
નોકરી, ધનલાભ, પ્રમોશન... હોળી પછી ધન અને કુંભ સહિત આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
નોકરી, ધનલાભ, પ્રમોશન... હોળી પછી ધન અને...
Jan 28, 2026
Trending NEWS
27 February, 2026
27 February, 2026
27 February, 2026
27 February, 2026
27 February, 2026
27 February, 2026
26 February, 2026
26 February, 2026
26 February, 2026
26 February, 2026