PM મોદીએ ક્રિસમસની પાઠવી શુભકામના

December 25, 2024

25મી ડિસેમ્બર એટલે ક્રિસમસ. આ દિવસે ખ્રિસ્તીઓ નવા વર્ષની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરે છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી એમ 5 દિવસ રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ક્રિસમસ પર્વની શુભકામના પાઠવી. તેમજ પીએમ મોદીએ મંગળવારે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સબકા સાથ, સબકા વિકાસનો સંદેશ આપ્યો હતો.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું કે તમને બધાને ક્રિસમસની શુભકામના. પ્રભુ ઈસુના ઉપદેશો દરેકને શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બતાવે. મહત્વનું છે કે PM મોદી CBCI સાથે ક્રિસમસની ઉજવણીમાં જોડાયા હતા. આ અવસરે પીએમ મોદીએ કહ્યું, જીસસે દુનિયાને નિઃસ્વાર્થ સેવાનો માર્ગ બતાવ્યો. અમે નાતાલની ઉજવણી કરીએ છીએ અને ઈસુને યાદ કરીએ છીએ જેથી કરીને આપણે આ મૂલ્યોને આપણા જીવનમાં લાગુ કરી શકીએ.

પીએમ મોદીએ કહ્યું કે હું માનું છું કે તે આપણી વ્યક્તિગત જવાબદારીની સાથે સાથે સામાજિક જવાબદારી પણ છે અને એક રાષ્ટ્ર તરીકે આપણી ફરજ છે કે આજે દેશ સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસની સમાન ભાવના સાથે આગળ વધે અને દેશ આ ભાવના સાથે આગળ વધી રહ્યો છે.