'PM મોદીના ચરણસ્પર્શ કરી બિહારનું માથું શરમથી ઝૂકાવ્યું..', નીતિશ કુમાર પર દિગ્ગજ ભડક્યાં
June 15, 2024
રાજકીય વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર તેમના અનેક નિવેદનો અને ભવિષ્યવાણીઓને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમણે ફરી એકવાર ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર સત્તામાં રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ચરણ સ્પર્શ' કરવાનો આરોપ મૂક્યો હતો. 'જન સુરાજ' અભિયાન ચલાવી રહેલા પ્રશાંત કિશોરે ભાગલપુરમાં એક જનસભાને સંબોધતાં આ ટિપ્પણી કરી હતી.
પ્રશાંત કિશોરે કહ્યું કે, લોકો મને પૂછે છે કે હું નીતિશ કુમારની ટીકા શા માટે કરી રહ્યો છું, જોકે મેં તો તેમની સાથે અગાઉ ઘણી વખત કામ કર્યું છે. તે સમયે તેઓ અલગ વ્યક્તિ હતા. તેમનો અંતરાત્મા વેચાયો ન હતો. પ્રશાંત કિશોરે 2015માં જેડી(યુ)ના પ્રમુખપદની ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી અને બે વર્ષ પછી ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાયા હતા.
પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી પર આરોપ લગાવ્યો હતો કે, કોઇ રાજ્યના લીડર રાજ્યમાં રહેતા લોકોનું ગૌરવ હોય છે. પરંતુ નીતીશ કુમારે મોદીના ચરણસ્પર્શ કરીને બિહારને શરમમાં મૂકી દીધું. ઉલ્લેખનીય છે કે નીતીશ કુમારની JD(U) એ લોકસભા ચૂંટણીમાં 12 બેઠકો જીતી અને ભાજપના બીજા સૌથી મોટા સાથી તરીકે ઉભરી આવી હતી.
પ્રશાંત કિશોરે કહ્યું કે, મોદીની સત્તામાં વાપસીમાં નીતીશ કુમારની મહત્વની ભૂમિકા વિશે ઘણી વાતો થઈ રહી છે. પરંતુ બિહારના સીએમ કેવી રીતે તેમના પદનો લાભ કેવી રીતે ઊઠાવી રહ્યા છે? શું તેઓ રાજ્યને ફાયદો સુનિશ્ચિત કરવા માટે તેમના પ્રભુત્વનો ઉપયોગ કરી રહ્યા છે? પ્રશાંતે કહ્યું કે નીતિશ કુમાર એટલા માટે ચરણસ્પર્શ કરી રહ્યા છે કેમ કે 2025ની વિધાનસભા ચૂંટણી બાદ પણ તે ભાજપના સમર્થનથી સત્તામાં જળવાઈ રહે.
Related Articles
કડવાચોથ પર મહિલા કોન્સ્ટેબલ સાથે જ હેવાનિયત, અયોધ્યાથી સાસરિયે જતી વખતે બની ઘટના
કડવાચોથ પર મહિલા કોન્સ્ટેબલ સાથે જ હેવાન...
ગોવા-અમદાવાદ સહિત 20 ફ્લાઈટોને બોમ્બથી ઉડાવવાના મેસેજથી હડકંપ
ગોવા-અમદાવાદ સહિત 20 ફ્લાઈટોને બોમ્બથી ઉ...
Oct 20, 2024
મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપનો ગેમપ્લાન ! 99 ઉમેદવારોમાંથી 89 રિપિટ
મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપનો ગેમપ્લાન ! 9...
Oct 20, 2024
બિહારમાં મંદિરમાં તોડફોડ મુદ્દે હોબાળો, છ મૂર્તિ ખંડિત કરાતા ટોળું વિફર્યું
બિહારમાં મંદિરમાં તોડફોડ મુદ્દે હોબાળો,...
Oct 20, 2024
મુઝફ્ફરનગરમાં પયગમ્બર સાહેબનું અપમાન કરતી પોસ્ટના વિરોધમાં સેંકડો લોકો રસ્તા પર
મુઝફ્ફરનગરમાં પયગમ્બર સાહેબનું અપમાન કરત...
Oct 20, 2024
ભારતીય અબજપતિની દીકરી યુગાન્ડાની જેલમાં કેદ, સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યો મામલો!
ભારતીય અબજપતિની દીકરી યુગાન્ડાની જેલમાં...
Oct 20, 2024
Trending NEWS
20 October, 2024
20 October, 2024
20 October, 2024
20 October, 2024
20 October, 2024
20 October, 2024
19 October, 2024
19 October, 2024
19 October, 2024
19 October, 2024
Oct 21, 2024