સુરતમાં પોલીસની દાદાગીરી, કાપડના વેપારીને એટલો માર માર્યો કે 108 બોલાવી પડી

May 22, 2023

સુરતની ઉમરા પોલીસની દાદાગીરી સામે આવી છે. જેમાં રવિવારની રાત્રે ઉમરા કેબલ બ્રિજ ઉતરતાં વાહન ચેકિંગમાં ઉભેલાં બે વેપારી ભાઇઓને ઉમરા પોલીસે બેરહેમીપૂર્વક ફટકાર્યા હોવાની વિગત સામે આવી છે. જેમાં કાપડ વેપારીને મારી મારીને કાનનો પડદો ફાટી ગયા હોવાના પણ પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે.

એટલું જ નહીં વેપારી યુવકે ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ ટ્વીટર ઉપર PMO, CMO અને રાજ્ય ગૃહમંત્રીને કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસે યુવકના માથા પર પગ મુકીને ઊભા રહ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે.

અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે ક્રિસ્ટલ એપા.માં રહેતાં અને કાપડના વેપાર સાથે સંકળાયેલા રાજેન્દ્રસિહ મહીડા તેમના મોટા ભાઇ અજયસિંહ સાથે તેમની કાર લઇ કેબલ બ્રિજના ઉમરા તરફના છેડે પહોંચ્યા હતા તે વખતે ઉમરા પોલીસ સચીનમાં થયેલી હત્યાને અનુસંધાને પોલીસ શકમંદનો ચેક કરી રહી હતી.