સંસદમાં અચાનક રાહુલ ગાંધીએ ભાજપ નેતા સાથે 'અનકોમન હેન્ડ શેક' કર્યું
August 20, 2025

સંસદમાં બુધવારે રોમાંચક નજારો જોવા મળ્યો હતો. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીને કોન્સ્ટીટ્યુશન ક્લબ ઑફ ઈન્ડિયાના સેક્રેટરી ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતાં. રાહુલના આ 'અનકોમન હેન્ડશેક' એ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. આ મુલાકાત તે સમયે થઈ, જ્યારે સદન ગૃહમાં બિહાર SIR તેમજ સંસદમાં મુખ્યમંત્રી-મંત્રીઓની ધરપકડ મુદ્દે રજૂ થનારા બિલનો વિપક્ષ વિરોધ કરી રહ્યો હતો. રાહુલ ગાંધીએ રાજીવ રૂડીને જોતાં જ તેમની પાસે જઈ હાથ મિલાવી અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં પોતે જ મીડિયાને કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે એક અનકોમન હેન્ડશેક! અભિનંદન. જવાબમાં રૂડીએ સ્મિત સાથે આભાર માન્યો હતો. હાલમાં જ રાજીવ રૂડીએ કોન્સ્ટિટ્યુશન ક્લબના સેક્રેટરી (એડમિનિસ્ટ્રેશન)ના પદ માટે યોજાયેલી ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. આ મુકાબલો ભાજપ vs ભાજપ હતો. જેમાં રૂડીએ પોતાના જ પક્ષના સંજીવ બાલિયાનને હરાવ્યા હતાં. આ ક્લબની ઈતિહાસની સૌથી હાઈ-વોલ્ટેજ ચૂંટણી પૈકી એક હતી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રૂડીને વિપક્ષના સાંસદોનું મોટાપાયે સમર્થન મળ્યુ હતું. જેથી તેઓએ જીત હાંસલ કરી છે. આ મામલે બંને ભાજપ નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ ચૂંટણીને રાજકારણના ચશ્મા પહેરાવવા જોઈએ નહીં. આ ચૂંટણીમાં મોટાપાયે મતદાન થયુ હતું. કુલ 1295 સભ્યોમાંથી 707એ મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, યુપીએના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક દિગ્ગજ મંત્રીઓ અને વિપક્ષ નેતાઓએ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો.
Related Articles
સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત
સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ...
Sep 12, 2025
ભારતે નેપાળ સરહદ બંધ કરી, મૈત્રી બસ સેવા પણ સ્થગિત; ફસાયેલા ભારતીયોને કાઢવા પ્રયાસ તેજ
ભારતે નેપાળ સરહદ બંધ કરી, મૈત્રી બસ સેવા...
Sep 11, 2025
વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું
વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ,...
Sep 11, 2025
યોગીએ સમગ્ર સરહદ પર 24 કલાક પોલીસને એલર્ટ રાખવાનો નિર્દેશ આપ્યો
યોગીએ સમગ્ર સરહદ પર 24 કલાક પોલીસને એલર્...
Sep 10, 2025
પંજાબમાં પૂરથી અત્યાર સુધી 52ના મોત, 1,91,926 હેક્ટરમાં પાક ધોવાયો
પંજાબમાં પૂરથી અત્યાર સુધી 52ના મોત, 1,9...
Sep 10, 2025
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શ...
Sep 09, 2025
Trending NEWS

10 September, 2025

10 September, 2025

10 September, 2025

10 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025