બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક ક્રિકેટ એસો.ને રાહત, હાઈકોર્ટે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી
June 06, 2025

બેંગલુરુ - કર્ણાટક હાઈકોર્ટે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિક્ટ્રી પરેડ દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગ મામલે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે રાજ્યના ક્રિકેટ એસોસિએશન (KSCA) અધિકારીઓ વિરુદ્ધના દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી છે. કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો છે કે, ‘નાસભાગના કેસમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે કેએસસીએ વિરુદ્ધ કોઈપણ દંડાત્મક કાર્યવાહી ન થવી જોઈએ. જોકે કોર્ટે એસોસિએશનને તપાસમાં સહયોગ આપવાનો તેમજ મંજૂરી વગર કોર્ટના અધિકાર ક્ષેત્રથી બહાર ન જવાનો નિર્દેશ આપ્યો છે.
સંઘે કોર્ટમાં કહ્યું કે, પોલીસે ભાગદોડની ઘટના પર અકુદરતી મૃત્યુ અહેવાલ (યુડીઆર) નોંધીને તપાસ શરૂ કરી હોવાથી FIR દાખલ કરવી ગેરકાયદેસર છે. જ્યારે સરકારે પોતે ભાગદોડને અણધાર્યો અકસ્માત ગણાવ્યું હતો, ત્યારે સમિતિ સામે FIR નોંધવી એ પોલીસ તરફથી ન્યાયની ગંભીર નિષ્ફળતા છે. જ્યારે પોલીસ અધિકારીઓના સસ્પેન્શનનો આદેશ પોલીસ વિભાગની નિષ્ફળતા સ્પષ્ટપણે દર્શાવે છે, ત્યારે પોલીસ તેમને હેરાન કરી શકતી નથી.
વાસ્તવમાં નાસભાગની ઘટના બાદ અનેક લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA)ની વહિવટી સમિતિનું નામ આવતા સમિતિએ હાઈકોર્ટમાં અરજી કરી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. અરજીમાં કહેવાયું છે કે, ‘નાસભાગની ઘટનાના કેસમાં પહેલેથી જ યુડીઆર દાખલ કરાઈ છે અને હવે આયોજકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, જે ગેરકાયદે છે, કારણ કે એક જ કેસમાં બે પ્રકારની તપાસ કરવી પડશે. હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો અરજી નોંધી લીધી છે અને તેની સુનાવણી કરી રહી છે. આ દરમિયાન બીજી એફઆઈઆર નોંધવા અને તપાસ કરવાનો કોઈ અવકાશ નથી.
Related Articles
IND vs ENG: જયસ્વાલ અને ગિલ બાદ ઋષભ પંતે પણ ફટકારી શાનદાર સદી, શુભમન આઉટ
IND vs ENG: જયસ્વાલ અને ગિલ બાદ ઋષભ પંતે...
Jun 21, 2025
સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના સ્થાને પહોંચી
સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સ...
Jun 18, 2025
'મેં ખુદ ટેસ્ટ કેપ્ટન્સીની ઓફર ઠુકરાવી હતી...', બુમરાહનો ધડાકો, ગંભીર-ગિલ સાથેના સંબંધો પર તોડ્યું મૌન
'મેં ખુદ ટેસ્ટ કેપ્ટન્સીની ઓફર ઠુકરાવી હ...
Jun 18, 2025
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે ક્રિકેટ મેચ... ICCએ જાહેર કર્યો મહિલા વર્લ્ડકપ-2025નો કાર્યક્રમ, જુઓ શેડ્યૂલ
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે ક્રિકેટ મેચ.....
Jun 17, 2025
'હવે ક્યારેય એર ઈન્ડિયામાં સફર નહીં કરું..' અમદાવાદ પ્લેન ક્રેશ બાદ દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી
'હવે ક્યારેય એર ઈન્ડિયામાં સફર નહીં કરું...
Jun 14, 2025
રોહિત શર્માનું વનડે કરિયર સમાપ્ત? 2027 વર્લ્ડ કપ માટે BCCI કરી રહ્યું છે તૈયારી: રિપોર્ટ
રોહિત શર્માનું વનડે કરિયર સમાપ્ત? 2027 વ...
Jun 11, 2025
Trending NEWS

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025