પુલવામા હુમલાને યાદ કરીને PM Modiએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
February 14, 2026
પીએમ મોદીએ 2019માં થયેલા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ જવાનોના બલિદાનને યાદ કરીને કહ્યું કે તેમનું અદમ્ય સાહસ, રાષ્ટ્રભક્તિ અને સમર્પણ દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છે. પીએમ મોદીએ શનિવારે 2019માં પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને બહાદૂરી, સમર્પણ અને દેશ પ્રત્યે સેવાને યાદ કરી. પીએમ મોદીએ કહ્યું કે 2019માં આજના દિવસે પુલવામામાં પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીર જવાનોને શત શત નમન કર્યા.
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પણ બહાદુર સીઆરપીએફ સૈનિકોને નમ્ર શ્રદ્ધાંજલિ આપી. તેમના બલિદાનને યાદ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તે ભારતીય ઇતિહાસમાં હંમેશા માટે અંકિત રહ્યું છે અને સદીઓથી રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે. તેમણે લખ્યું કે પુલવામા આતંકવાદી હુમલામાં પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમનું સર્વોચ્ચ બલિદાન હંમેશા રાષ્ટ્રની સ્મૃતિમાં રહેશે અને આપણને એક મજબૂત અને સુરક્ષિત ભારત બનાવવા માટે પ્રેરણા આપશે."
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર CRPF કાફલાને નિશાન બનાવ્યો હતો. જે સૌથી ભયંકર આતંકવાદી હુમલાઓમાંથી એક હતો. જેમાં 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. પુલવામા આતંકવાદી હુમલાએ માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધાર્યો ન હતો, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારના આતંકવાદ અને સુરક્ષા અંગે વિશ્વભરમાં ચર્ચા પણ શરૂ કરી હતી. આ હુમલામાં જીવ ગુમાવનારા ૪૦ બહાદુર CRPF સૈનિકોને યાદ કરવા માટે આ દિવસને 'કાળા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
Related Articles
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બ...
Feb 14, 2026
સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી
સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાં...
Feb 14, 2026
પુલવામામાં દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વીર શહીદોને શતશત નમન
પુલવામામાં દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પ...
Feb 14, 2026
સેવા તીર્થથી પીએમ મોદીનું સંબોધન, કહ્યું સેવા તીર્થ ભારતની જનતાને સમર્પિત
સેવા તીર્થથી પીએમ મોદીનું સંબોધન, કહ્યું...
Feb 14, 2026
પીએમ મોદીએ "સેવા તીર્થ" નામના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
પીએમ મોદીએ "સેવા તીર્થ" નામના નવા કાર્યા...
Feb 14, 2026
‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી
‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લ...
Feb 13, 2026
Trending NEWS
12 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
10 February, 2026
10 February, 2026
10 February, 2026