એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, ભારત કરવાનું છે મેજબાની
May 03, 2025

પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં શોક અને ગુસ્સો છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદથી ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે એક મોટી ભવિષ્યવાણી કરી છે. સુનીલ ગાવસ્કર માને છે કે એશિયા કપમાં રમવું પાકિસ્તાન માટે લગભગ અશક્ય બની રહેશે. ભારત એની સાથે કોઈ સંબંધ નહીં રાખે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)નું ભવિષ્ય જોખમમાં છે. ગાવસ્કરે કહ્યું કે પાકિસ્તાનને એશિયા કપમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે. એટલું જ નહીં ACCને પણ ભંગ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત એશિયા કપ 2025ની મેજબાની કરવાનું છે જે T20 ફોર્મેટમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નું વલણ હંમેશા ભારત સરકાર કહે એ જ માનવાનું રહ્યું છે. તેથી મને નથી લાગતું કે એશિયા કપ મામલે કોઈ ફેરફાર થશે. ભારત અને શ્રીલંકા એશિયા કપના આ વખતના યજમાન છે, તેથી તે તેમના પર નિર્ભર કરે છે કે પાકિસ્તાન એશિયા કપનો ભાગ બનશે કે નહીં.
Related Articles
બેંગલુરુ 9 વર્ષ બાદ ફાઈનલમાં, ક્વોલિફાયર-1માં પંજાબને હરાવ્યું, હેઝલવુડ-સોલ્ટનું દમદાર પ્રદર્શન
બેંગલુરુ 9 વર્ષ બાદ ફાઈનલમાં, ક્વોલિફાયર...
May 30, 2025
બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકાના ખેલાડી વચ્ચે મેદાનમાં બબાલ! મારામારી સુધી મામલો પહોંચ્યો
બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકાના ખેલાડી વચ્...
May 29, 2025
IPL 2025માં KKRના 54 કરોડના આ 5 ખેલાડીઓએ આશા પર પાણી ફેરવ્યું, હવે પત્તાં કપાય તેવી શક્યતા
IPL 2025માં KKRના 54 કરોડના આ 5 ખેલાડીઓએ...
May 27, 2025
શ્રેયસ અય્યર આટલું સારું તો રમે છે, ટેસ્ટ ટીમમાં કેમ સામેલ ન થઈ શકે?, સેહવાગે BCCIનો કર્યો વિરોધ
શ્રેયસ અય્યર આટલું સારું તો રમે છે, ટેસ્...
May 26, 2025
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કૅપ્ટન, ગુજરાતના 2 ખેલાડીઓ
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન...
May 24, 2025
IPL 2025ના પ્લેઓફની રેસમાં કોનું પલડું ભારે? સમજો દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના સમીકરણ
IPL 2025ના પ્લેઓફની રેસમાં કોનું પલડું ભ...
May 21, 2025
Trending NEWS

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડ્યુટી ભરવા જનારને દંડ...
31 May, 2025

ટ્રમ્પને મોટો ઝટકો, 'લિબરેશન ડે' ટેરિફ પર અમેરિકન...
29 May, 2025