પાકિસ્તાન પર કાર્યવાહી અંગેની વાત કરી રહી હતી સેના, અચાનક કોહલીનું નામ કેમ લેવાયું
May 12, 2025

ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. કોહલીના સન્યાસની જાહેરાત બાદ ઘણા ચાહકોના દિલ તૂટી ગયા છે. ભારતીય સેનાની પ્રેસ કોન્ફરેન્સમાં પણ વિરાટ કોહલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતા ભારતના કરોડો ચાહકોના દિલ તૂટી ગયા છે. કોહલીના ચાહકોમાં ભારતીય સેનાના DGMO રાજીવ ધઈ પણ સામેલ છે. તેમણે ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી પ્રેસ કોન્ફરેન્સમાં વિરાટ કોહલીની નિવૃતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'કોહલી મારો પ્રિય ક્રિકેટર છે.'
DGMO રાજીવ ધઈ 'ઓપરેશન સિંદૂર' અંગે બ્રીફ આપી રહ્યા હતા. તેમણે પોતાની પ્રેસ કોન્ફરેન્સમાં કેટલાક ડાયગ્રામ બતાવ્યા હતા. આ ડાયાગ્રામ સમજાવતાં વિરાટ કોહલીના સન્યાસ અંગેનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે, 'આ જે ડાયાગ્રામ તમે જોઈ રહ્યા છો, આ મને એક ઘટનાની યાદ અપાવે છે. આજે કદાચ ક્રિકેટની વાત કરવી જોઈએ કારણ કે, હું જોઈ રહ્યો હતો કે, વિરાટ કોહલીએ સન્યાસની જાહેરાત કરી છે. દરેક ભારતીયોની જેમ તેઓ મારા પ્રિય ક્રિકેટર છે.'
Related Articles
ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાની રેસથી બુમરાહ ખુદ થયો બહાર? ગિલ કે પંત સંભાળી શકે છે કમાનઃ રિપોર્ટ
ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાની રેસથી બુમરાહ ખ...
May 12, 2025
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ કરી આપી માહિતી
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃ...
May 12, 2025
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવાની ઈચ્છા, જુઓ BCCIએ શું કહ્યું
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી...
May 10, 2025
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી બાદ બની ગયો 'દેશભક્ત'
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી...
May 10, 2025
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
Trending NEWS

12 May, 2025