Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

પાકિસ્તાન પર કાર્યવાહી અંગેની વાત કરી રહી હતી સેના, અચાનક કોહલીનું નામ કેમ લેવાયું

May 12, 2025

ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. કોહલીના સન્યાસની જાહેરાત બાદ ઘણા ચાહકોના દિલ તૂટી ગયા છે. ભારતીય સેનાની પ્રેસ કોન્ફરેન્સમાં પણ વિરાટ કોહલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતા ભારતના કરોડો ચાહકોના દિલ તૂટી ગયા છે. કોહલીના ચાહકોમાં ભારતીય સેનાના DGMO રાજીવ ધઈ પણ સામેલ છે. તેમણે ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી પ્રેસ કોન્ફરેન્સમાં વિરાટ કોહલીની નિવૃતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'કોહલી મારો પ્રિય ક્રિકેટર છે.'

DGMO રાજીવ ધઈ 'ઓપરેશન સિંદૂર' અંગે બ્રીફ આપી રહ્યા હતા. તેમણે પોતાની પ્રેસ કોન્ફરેન્સમાં કેટલાક ડાયગ્રામ બતાવ્યા હતા. આ ડાયાગ્રામ સમજાવતાં વિરાટ કોહલીના સન્યાસ અંગેનો ઉલ્લેખ કર્યો હતો. 

તેમણે કહ્યું કે, 'આ જે ડાયાગ્રામ તમે જોઈ રહ્યા છો, આ મને એક ઘટનાની યાદ અપાવે છે. આજે કદાચ ક્રિકેટની વાત કરવી જોઈએ કારણ કે, હું જોઈ રહ્યો હતો કે, વિરાટ કોહલીએ સન્યાસની જાહેરાત કરી છે. દરેક ભારતીયોની જેમ તેઓ મારા પ્રિય ક્રિકેટર છે.'