જ્ઞાનવાપી વિવાદને લગતી સાત અરજીની સુનાવણી કોર્ટ એકસાથે હાથ ધરશે
May 24, 2023

વારાણસી કોર્ટે જ્ઞાનવાપી વિવાદ સાથે જોડાયેલી સાત અરજીની સુનાવણી એકસાથે હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા જજ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશ દ્વારા 22મીએ આ આદેશ આપવામાં આવ્યો હતો. હિન્દુ પક્ષે 7 કેસની સુનાવણી એકસાથે હાથ ધરવાની માગણી કરી હતી. તમામ અરજીની સુનાવણી હવે 7 જુલાઈએ હાથ ધરવામાં આવશે.
હિન્દુ પક્ષનાં વકીલ સુભાષ ચતુર્વેદીએ કહ્યું હતું કે તમામ અરજીઓ એક જ પ્રકારની છે. રાખી સિંહનાં કેસ નંબર 693/21ની અરજીને મુખ્ય કેસનાં રૂપમાં સાંભળવામાં આવશે. મસ્જિદ કમિટીએ તમામ અરજીઓ એકસાથે હાથ ધરવાનો વિરોધ કર્યો હતો પણ જજે તે માગણી ફગાવી દીધી હતી.
જ્ઞાનવાપી મસ્જિદમાં આવેલા શિવલિંગની પૂજાઅર્ચના કરવા તેમજ શ્રુંગાર ગૌરી માટે પાંચ મહિલાઓ રાખી સિંહ, રેખા, સીતા, મંજુ અને લક્ષ્મી દ્વારા ગયા વર્ષે ડિસેમ્બરમાં જિલ્લા જજની કોર્ટમાં 7 કેસની સુનાવણી એકસાથે કરવા માગણી કરાઈ હતી. આ પછી 6 સિવિલ કોર્ટ અને એક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તમામ 7 અરજીઓને જિલ્લા જજ સમક્ષ મુકાઈ હતી.
Related Articles
પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જાહેર,1 જૂલાઇથી શરૂ થશે યાત્રા
પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જા...
May 30, 2023
NPA છુપાવવા ખાનગી બેંકોની ગોલમાલ, RBI ગવર્નરે કહ્યું- નિયમોનો ખોટી રીતે ઉપયોગ ન કરે
NPA છુપાવવા ખાનગી બેંકોની ગોલમાલ, RBI ગવ...
May 30, 2023
મોદી સ્ટેડિયમમાં તસ્કરોનો હાથફેરો, IPLની ફાઈનલ મેચ જોવા આવેલા દર્શકોના મોબાઈલ-પર્સ ચોરાયા
મોદી સ્ટેડિયમમાં તસ્કરોનો હાથફેરો, IPLની...
May 30, 2023
ઝારખંડમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ યાદવના ઘર સહિત અન્ય 12 સ્થળોએ દરોડા
ઝારખંડમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસન...
May 30, 2023
કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના, પોતાના મેડલ ગંગા નદીમાં નાંખી દેવાની કરી હતી જાહેરાત
કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના, પોતાના મે...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023