IPLમાં કરોડોમાં વેચાયેલા 4 ભારતીય ખેલાડીઓને નિરાશાજનક પ્રદર્શન ભારે પડશે, T20 ટીમમાંથી કાઢી મૂકાશે?
June 09, 2025

1. મોહમ્મદ શમી : અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે રમ્યો, પરંતુ તેમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું. 9 મેચમાં તેણે માત્ર 6 વિકેટ લીધી. પંજાબ કિંગ્સ સામે તેણે 4 ઓવરમાં 75 રન આપ્યા! 10 કરોડમાં ખરીદાયેલા શમીને પછીથી પ્લેઈંગ-11માંથી બહાર કરી દેવાયો. પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ અને ખલીલ અહેમદ જેવા બોલર સારા ફોર્મમાં હોવાથી હવે શમીની T20 ટીમમાં જગ્યા મુશ્કેલ છે.
2. રિંકુ સિંહ : ડાબોડી બેટર રિંકુ સિંહને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ 13 કરોડમાં રીટેન કર્યો હતો, પરંતુ તે અપેક્ષા પર ખરી ઉતાર્યો નહીં. 11 ઇનિંગ્સમાં તેણે 153.73ના સ્ટ્રાઈક-રેટથી માત્ર 206 રન બનાવ્યા. IPL 2024 પછી તેનું ફોર્મ સતત ગગડતું રહ્યુંછે, જેના કારણે તેની ભારતીય T20 ટીમમાંથી બાદબાકીનો ખતરો છે.
3. રવિ બિશ્નોઈ : લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા 11 કરોડમાં રીટેન કરાયેલા લેગ-સ્પિનર રવિ બિશ્નોઈ પણ આ સીઝનમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. 11 મેચમાં તેણે માત્ર 9 વિકેટ લીધી અને તેમનો ઇકોનોમી રેટ 10.83 રહ્યો, જે સ્પિનર માટે ઘણો ખરાબ ગણી શકાય. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી જેવા વિકલ્પો ઉપલબ્ધ હોવાથી, બિશ્નોઈની T20 ટીમમાં જગ્યા પર પ્રશ્ન છે.
4. નીતીશ કુમાર રેડ્ડી : ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં ભારતીય ટીમમાં હતો, પરંતુ ઈજાને કારણે બહાર થવું પડ્યું. IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. 13 મેચમાં તેણે માત્ર 182 રન બનાવ્યા અને 3 ઇનિંગ્સમાં 2 વિકેટ લીધી. 6 કરોડમાં રીટેન કરાયેલા નીતીશ પણ અપેક્ષા પર ખરો ઉતારી શક્યો નહીં.
Related Articles
IND vs ENG: જયસ્વાલ અને ગિલ બાદ ઋષભ પંતે પણ ફટકારી શાનદાર સદી, શુભમન આઉટ
IND vs ENG: જયસ્વાલ અને ગિલ બાદ ઋષભ પંતે...
Jun 21, 2025
સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના સ્થાને પહોંચી
સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સ...
Jun 18, 2025
'મેં ખુદ ટેસ્ટ કેપ્ટન્સીની ઓફર ઠુકરાવી હતી...', બુમરાહનો ધડાકો, ગંભીર-ગિલ સાથેના સંબંધો પર તોડ્યું મૌન
'મેં ખુદ ટેસ્ટ કેપ્ટન્સીની ઓફર ઠુકરાવી હ...
Jun 18, 2025
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે ક્રિકેટ મેચ... ICCએ જાહેર કર્યો મહિલા વર્લ્ડકપ-2025નો કાર્યક્રમ, જુઓ શેડ્યૂલ
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે ક્રિકેટ મેચ.....
Jun 17, 2025
'હવે ક્યારેય એર ઈન્ડિયામાં સફર નહીં કરું..' અમદાવાદ પ્લેન ક્રેશ બાદ દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી
'હવે ક્યારેય એર ઈન્ડિયામાં સફર નહીં કરું...
Jun 14, 2025
રોહિત શર્માનું વનડે કરિયર સમાપ્ત? 2027 વર્લ્ડ કપ માટે BCCI કરી રહ્યું છે તૈયારી: રિપોર્ટ
રોહિત શર્માનું વનડે કરિયર સમાપ્ત? 2027 વ...
Jun 11, 2025
Trending NEWS

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025