ભારતીય સેનાએ 23 જ મિનિટમાં દુશ્મનોનો ખાત્મો કરી દીધો : રાજનાથ સિંહ
May 16, 2025

ભૂજ : ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વાયુસેનાના યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા. સંરક્ષણ મંત્રીએ પોતાના ભાષણમાં પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું કે 'લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે, એટલા સમયમાં તમે દુશ્મનોનો ખાત્મો કરી દીધો. ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું તેનાથી બધા ભારતીયોને ગર્વ છે, પછી ભલે તેઓ ભારતમાં હોય કે વિદેશમાં. ભારતીય વાયુસેના માટે પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદને કચડી નાખવા માટે માત્ર 23 મિનિટ પૂરતી હતી. લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે, એટલામાં તમે તમારા દુશ્મનોનો નાશ કરી દીધો.’
ભૂજ એર બેઝ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, 'ગઈકાલે જ હું શ્રીનગરમાં આપણા બહાદુર સેનાના જવાનોને મળ્યો. આજે હું અહીં વાયુસેનાના સૈનિકોને મળી રહ્યો છું. ગઈકાલે હું ઉત્તરીય ક્ષેત્રમાં આપણા સૈનિકોને મળ્યો હતો અને આજે હું દેશના પશ્ચિમ ભાગમાં વાયુસેનાના સૈનિકો અને અન્ય સુરક્ષા કર્મચારીઓને મળી રહ્યો છું. બંને મોરચે ઉત્સાહ અને ઊર્જાનો માહોલ જોઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. મને વિશ્વાસ છે કે તમે ભારતની સરહદોને સુરક્ષિત રાખશો. આ દરમિયાન સંરક્ષણ મંત્રીએ બશીર બદ્રના એક શેર દ્વારા પાકિસ્તાનને સલાહ પણ આપી. તેમણે કહ્યું કે, 'કાગજ કા હૈ લિબાસ ચરાગો કા શહેર હૈ, સંભલ-સંભલ કે ચલના ક્યોંકિ તુમ નશે મેં હો.' રાજનાથ સિંહે કહ્યું કે 'ઓપરેશન સિંદૂર'માં ભારતીય વાયુસેના દ્વારા ભજવવામાં આવેલી અસરકારક ભૂમિકાની માત્ર આ દેશમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે.
Related Articles
ગુજરાતના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું અલર્ટ, 62-87ની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભાર...
May 17, 2025
અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે, હવામાન વિભાગે વરસાદ સાથે વાવાઝોડાની કરી આગાહી
અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે, હવામાન...
May 17, 2025
અમદાવાદથી દીવ હવે કલાકમાં પહોંચી જવાશે, UDAN યોજના હેઠળ ખાસ ફ્લાઈટ સેવા શરૂ
અમદાવાદથી દીવ હવે કલાકમાં પહોંચી જવાશે,...
May 17, 2025
દાહોદમાં મનરેગા કૌભાંડમાં ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની કરાઈ ધરપકડ
દાહોદમાં મનરેગા કૌભાંડમાં ભાજપના મંત્રી...
May 17, 2025
સુરતમાં આજે સાંજે 5 વાગે નીકળશે તિરંગા યાત્રા, મહિલાઓ સેંથીમાં સિંદૂર પૂરી જોડાશે
સુરતમાં આજે સાંજે 5 વાગે નીકળશે તિરંગા ય...
May 14, 2025
જૂનાગઢમાં ઝૂમાંથી બહાર નીકળી સોસાયટીમાં ઘુસી ગયું રીંછ, લોકોમાં ડરનો માહોલ, તાત્કાલિક કરાયું રેસક્યુ
જૂનાગઢમાં ઝૂમાંથી બહાર નીકળી સોસાયટીમાં...
May 14, 2025
Trending NEWS

17 May, 2025

17 May, 2025

17 May, 2025