લોકસભાના ચોમાસુ સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ
August 21, 2025

લોકસભા સત્ર દરમિયાન ભારે ધાંધલ-ધમાલ, હોબાળો અને સૂત્રોચ્ચારોની ઘટના બાદ આજે સત્ર પૂર્ણ થયું છે. આ સાથે લોકસભામાં શરમજનક ઈતિહાસ પણ રચાયો છે, કારણ એ છે કે, આ સત્રમાં કુલ 120 કલાક કામકાજ કરવાનો સમય નિર્ધારીત કરાયો હતો, જોકે તેમાંથી માત્ર 37 કલાક જ કામકાત થઈ શક્યું છે અને 87 કલાક બરબાદ થઈ ગયા છે. લોકસભા સચિવાલયના જણાવ્યા મુજબ, સત્રમાં કુલ 21 બેઠકો યોજાઈ હતી, જેમાંથી 84 કલાકથી વધુ સમય બરબાદ થયો છે, જે 18મી લોકસભાના ઈતિહાસમાં હોબાળાને કારણે વેડફાઈ ગયેલો સૌથી વધુ સમય છે.
યોજના કરતા ઘણું ઓછું કામકાજ
સત્રની શરૂઆત 21 જુલાઈના રોજ થઈ હતી. સત્ર પહેલાં તમામ રાજકીય પક્ષોએ મળીને કુલ 120 કલાક ચર્ચા અને કામકાજ માટે ફાળવવાનું નક્કી કર્યું હતું. આ નિર્ણય પર વ્યાપાર સલાહકાર સમિતિએ પણ સંમતિ આપી હતી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સત્રના અંતે જણાવ્યું કે, સતત અડચણો અને આયોજનબદ્ધ હોબાળાને કારણે ગૃહમાં માત્ર 37 કલાક અને 7 મિનિટ જ અસરકારક કામકાજ થઈ શક્યું છે. તેમણે ગૃહની કાર્યવાહીમાં વારંવાર આવતા અવરોધો પર નારાજગી વ્યક્ત કરી.
કામકાજ માટે ખૂબ જ ઓછો સમય મળ્યો હોવા છતાં સરકારે આ સમયનો સદુપયોગ કર્યો છે. સરકારે ગૃહમાં કુલ 14 વિધેયકો રજૂ કર્યા અને તેમાંથી 12 મહત્વના કાયદાઓ પસાર કરાવ્યા.
પસાર થયેલા કાયદાઓમાં ઓનલાઈન ગેમિંગને પ્રોત્સાહન અને નિયમન વિધેયક, 2025, ખનિજ અને ખાણકામ (વિકાસ અને નિયમન) સુધારા વિધેયક, 2025 અને રાષ્ટ્રીય રમત શાસન વિધેયક, 2025 મુખ્ય છે. આ કાયદાઓ વિવિધ ક્ષેત્રોમાં નવી દિશા આપવા માટે મહત્વના માનવામાં આવે છે.
Related Articles
સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત
સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ...
Sep 12, 2025
ભારતે નેપાળ સરહદ બંધ કરી, મૈત્રી બસ સેવા પણ સ્થગિત; ફસાયેલા ભારતીયોને કાઢવા પ્રયાસ તેજ
ભારતે નેપાળ સરહદ બંધ કરી, મૈત્રી બસ સેવા...
Sep 11, 2025
વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું
વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ,...
Sep 11, 2025
યોગીએ સમગ્ર સરહદ પર 24 કલાક પોલીસને એલર્ટ રાખવાનો નિર્દેશ આપ્યો
યોગીએ સમગ્ર સરહદ પર 24 કલાક પોલીસને એલર્...
Sep 10, 2025
પંજાબમાં પૂરથી અત્યાર સુધી 52ના મોત, 1,91,926 હેક્ટરમાં પાક ધોવાયો
પંજાબમાં પૂરથી અત્યાર સુધી 52ના મોત, 1,9...
Sep 10, 2025
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શ...
Sep 09, 2025
Trending NEWS

10 September, 2025

10 September, 2025

10 September, 2025

10 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025