ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ, જાણો કઈ-કઈ વસ્તુની નિકાસ પર થશે અસર?

April 09, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે 180 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદી દીધો છે, જે આજથી લાગુ થઈ જશે. ટ્રમ્પે ભારત પર પણ 26% ટેરિફ લાદ્યો છે. ભારત પર લાદવામાં આવેલા આ ટેરિફના કારણે અમેરિકામાં નિકાસ થતી દરેક ભારતીય વસ્તુ પર 26% ડ્યુટી વસૂલવામાં આવશે. એવું કહેવાય છે કે, આ ટેરિફની ભારત પર અનેક સ્તરે અસર પડી શકે છે. અમેરિકામાં ભારતીય માલ પર 26% ટેરિફ લાદવામાં આવ્યો છે. જેની અસર ભારત પણ ઘણાં સ્તરે જોવા મળશે. અમેરિકામાં ભારતીય માલ પર 26% ટેરિફ લાદવાથી, તે માલના ભાવ ચોક્કસપણે વધશે. જેના કારણે ત્યાં ઓછા ટેરિફ લાદેલા છે એવા દેશોની સરખામણીમાં ભારતીય પ્રોડક્ટની માગ ઓછી થઇ શકે છે. ભારત ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, રત્નો અને ઝવેરાત, ઓટોમોબાઇલ્સ અને કાપડ જેવી વસ્તુઓની નિકાસ કરે છે.  ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની દવાઓ પર સૌથી વધુ અસર પડશે. સસ્તી દવાઓ ભારતથી અમેરિકા જાય છે. અમેરિકા ભારતમાંથી 12 અબજ ડોલરથી વધુ કિંમતની દવાઓ અને ફાર્મા ઉત્પાદનોની આયાત કરે છે. 2023-24માં ભારતનો અમેરિકા સાથેનો દવાનો વેપાર 35.32 અબજ ડોલર સરપ્લસ હતો, જે ટેરિફ દ્વારા ઘટાડી શકાય છે એવું ટ્રમ્પ માને છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની નિકાસ $73.7 બિલિયન છે જ્યારે અમેરિકાથી આયાત $39.1 બિલિયન છે. જો કે, યુએસ સરકારના આંકડા આનાથી અલગ છે. અમેરિકાના ડેટા દર્શાવે છે કે ભારતની નિકાસ $91.2 બિલિયન અને આયાત $34.3 બિલિયનની છે. અમેરિકા સાથે વ્યાપાર કરવો એ ભારત માટે નફાકારક સોદો રહ્યો છે કારણ કે તેની આયાત ઓછી છે અને નિકાસ વધુ છે. ટેરિફને કારણે નિકાસ ઘટી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મિત્રતા જાણીતી છે. બંને એકબીજાને સારા મિત્રો કહે છે. 'હાઉડી મોદી' અને 'નમસ્તે ટ્રમ્પ' રેલીઓને પણ આના મજબૂત ઉદાહરણો માનવામાં આવે છે. પરંતુ ટ્રમ્પે અનેક વખત ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત ખૂબ ઊંચા ટેરિફ લાદે છે અને ખૂબ જ ક્રૂર છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પે ભારત પર 26 % રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો છે.