થરાદની નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, 4 લોકો કેનાલમાં પડ્યાની આશંકા
September 21, 2025
થરાદ : બનાસકાંઠાના થરાદમાં આવેલી નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. થરાદના જમડા પુલ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ પાસેથી બાઈક, ચંપલ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેના આધારે ચારેક લોકોએ કેનાલમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાં ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એક જ દિવસમાં આ પ્રકારની ઘટના બનતા લોકોમાં કુતૂહલ અને ચિંતા ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા હતા.
આ ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ કેનાલમાં ડૂબેલા લોકોની ઓળખ અને આ ઘટના પાછળના કારણો જાણવા માટે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Related Articles
અંબાજી મંદિરમાંથી દાનની રકમની ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ જામીન મેળવી છૂટી ગયા
અંબાજી મંદિરમાંથી દાનની રકમની ચોરીના કેસ...
Jul 13, 2026
ગીરમાં સિંહની પજવણી કરનારા વેરાવળ-પ્રભાસ પાટણના 8 લોકોની અટકાયત
ગીરમાં સિંહની પજવણી કરનારા વેરાવળ-પ્રભાસ...
Jul 12, 2026
અમદાવાદના દવે પરિવારના ઘરેથી ભરાશે જગન્નાથજીનું દિવ્ય 'મામેરું
અમદાવાદના દવે પરિવારના ઘરેથી ભરાશે જગન્ન...
Jul 12, 2026
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ભાજપે સતીષ પટેલને ટિકિટ આપી
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ભાજ...
Jul 12, 2026
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાંચ બાળકના મોત
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાં...
Jul 10, 2026
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્રાઉન્ડ ઝીરો પર ગયા વગર મુખ્યમંત્રીએ ₹500 કરોડના પેકેજની કરી જાહેરાત
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્ર...
Jul 10, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026