થરાદની નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, 4 લોકો કેનાલમાં પડ્યાની આશંકા
September 21, 2025
થરાદ : બનાસકાંઠાના થરાદમાં આવેલી નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. થરાદના જમડા પુલ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ પાસેથી બાઈક, ચંપલ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેના આધારે ચારેક લોકોએ કેનાલમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાં ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એક જ દિવસમાં આ પ્રકારની ઘટના બનતા લોકોમાં કુતૂહલ અને ચિંતા ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા હતા.
આ ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ કેનાલમાં ડૂબેલા લોકોની ઓળખ અને આ ઘટના પાછળના કારણો જાણવા માટે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Related Articles
કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે 'ઑરેન્જ ઍલર્ટ', રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે
કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે 'ઑરેન્જ ઍલર્...
Mar 10, 2026
જામનગર મસાલા ફેક્ટરીમાં આગ, 35 ટન મરચા બળીને ખાખ
જામનગર મસાલા ફેક્ટરીમાં આગ, 35 ટન મરચા બ...
Mar 08, 2026
વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત
વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના...
Mar 08, 2026
અમરેલી: ભાજપના ધારાસભ્યની હાજરીમાં જ દામનગર શહેર મહામંત્રી પર ઘાતક હુમલો
અમરેલી: ભાજપના ધારાસભ્યની હાજરીમાં જ દામ...
Mar 08, 2026
ગાંધીનગર : કેજરીવાલે ભાજપને વોટ ન આપવાની લોકોને શપથ લેવડાવી
ગાંધીનગર : કેજરીવાલે ભાજપને વોટ ન આપવાની...
Mar 08, 2026
સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર
સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બ...
Mar 07, 2026
Trending NEWS
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
10 March, 2026
10 March, 2026
10 March, 2026
10 March, 2026
10 March, 2026