વડોદરાવાસીઓને હાશકારો..!! વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે-ધીમે ઘટાડો નોંધાયો, આજવા ડેમના 62 ગેટ બંધ
September 30, 2024
વડોદરા : વડોદરાવાસીઓને અંતે રાહત થતી હોય તેમ જણાઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ધીમો ઘટાડો આજ બપોરથી શરૂ થયો છે. આજ સવાર સુધી નદી ભયજનક સપાટી 26 ફૂટને ઓળંગી જાય તેવી સ્થિતિ હતી, પરંતુ વરસાદ થંભી ગયા બાદ હાલ ઉઘાડ છે, અને ઉપરવાસથી પાણીની આવક પણ ઓછી થઈ જતા નદીમાં પાણી ઘટવાની શરૂઆત થઈ છે.
આજે સવારે 11:30 કલાકે પાણી વધુમાં વધુ 25.06 ફૂટ સુધી પહોંચ્યું હતું ત્યારબાદ પાણીનું લેવલ સ્થિર થયા બાદ ધીમો ઘટાડો શરૂ થયો છે.
આજે બપોરે 2:00 વાગ્યાની આસપાસ પાણીનું લેવલ 24.93 નોંધાયું હતું. આમ પાણીના સ્તરમાં ઘટાડો થતાં તંત્રને અને ખાસ તો લોકોને હાશકારો થયો છે. હવે જો દિવસ દરમિયાન વરસાદ ન પડે તો લેવલ હજી વધું નીચે ઉતરશે અને નીચાણવાળા વિસ્તારોમાંથી ધીમે-ધીમે પાણી પણ ઉતરવા માંડશે તેમ કોર્પોરેશનના તંત્રનું માનવું છે.
હાલ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતું નથી. આજવા સરોવરનું લેવલ બપોરે 213.30 ફૂટ હતું. આજવા સરોવરના 62 ગેટ હાલમાં બંધ છે.
Related Articles
ગુજરાતમાં ઠંડીના કારણે 13 જિલ્લામાં હૃદયના દર્દી 20% વધ્યાં, સૌથી વધુ કેસ છોટા ઉદેપુરમાં
ગુજરાતમાં ઠંડીના કારણે 13 જિલ્લામાં હૃદય...
સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા હોવાનો પરિવારનો આક્ષેપ
સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્...
Jan 21, 2025
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે, જંત્રી દરમાં રાહતની શક્યતા
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુ...
Jan 20, 2025
સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જઇ પીંખી નાખી, લોહીથી લથબથ બાળકી ઘરે પહોંચી
સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જ...
Jan 20, 2025
અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી ભેટ ધરી
અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચ...
Jan 20, 2025
ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરનો રજત જયંતિ મહોત્સવ, સોનાની પાઘડી પહેરાવીને મુખ્યમંત્રીનું સન્માન
ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરનો રજત જયંતિ...
Jan 20, 2025
Trending NEWS
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
Jan 22, 2025