વિરાટ કોહલી, નીરજ ચોપરા, સિંધુ, સાઈના નહેવાલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો
April 23, 2025

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેણે પોતાની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક સ્ટોરી શેર કરી. આ પોસ્ટમાં, તેમણે નિર્દોષ લોકો પરના આ 'ઘૃણાસ્પદ' હુમલાની નિંદા કરી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ હિંસક હુમલા પર તેમની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ પણ પ્રતિક્રિયા આપી.
કોહલીએ પહેલગામ હુમલા અંગે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી. કોહલીએ લખ્યું- પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આ જઘન્ય હુમલાથી હું ખૂબ જ દુઃખી છું. પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને શાંતિ અને શક્તિ મળે અને આ ક્રૂર હુમલા માટે ચોક્કસપણે ન્યાય મળે.
વિરાટ કોહલીની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ પણ આ હુમલા અંગે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. અનુષ્કાએ લખ્યું- કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આ કાયર આતંકવાદી હુમલાથી મારું હૃદય ખૂબ જ દુઃખી છે. પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે અને હું તેમના માટે પ્રાર્થના કરું છું. આ એક ભયાનક હુમલો છે જે ક્યારેય ભૂલી શકાશે નહીં.
નીરજ ચોપરા અને આ ખેલાડીઓએ દુઃખ વ્યક્ત કર્યું બે ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા અને પીવી સિંધુ સહિત રમતગમત જગતે પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને શોક વ્યક્ત કર્યો અને તેની સખત નિંદા કરી. ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'જમ્મુ અને કાશ્મીરમાં થયેલા દુ:ખદ હુમલાથી દીલ તૂટી ગયું. હું પીડિતો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરું છું.
સિંધુએ એક ભાવનાત્મક પોસ્ટમાં પણ લખ્યું, 'પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો માટે મારું દીલ દુ:ખી છે. ખૂબ પીડા અનુભવુ છુ. આટલું બધું નુકસાન. કોઈ પણ વ્યક્તિ આવી ક્રૂરતાને કોઈપણ કારણોસર યોગ્ય ઠેરવી શકે નહીં. અસરગ્રસ્ત પરિવારોનું દુઃખ શબ્દોની બહાર છે, પરંતુ તમે એકલા નથી. અમે તમારી સાથે છીએ.
બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે લખ્યું, 'પહલગામ આતંકવાદી હુમલો એ આપણે જે જોખમોનો સામનો કરી રહ્યા છીએ તેની હૃદયદ્રાવક યાદ અપાવે છે.' મારી પ્રાર્થનાઓ આપણે ગુમાવેલા આત્માઓ અને તેમના પરિવારો સાથે છે. ભય ફેલાવનારાઓએ જાણવું જોઈએ કે ભારત એક છે, અને ન્યાય થશે. જય હિન્દ.
Related Articles
RCBની હોમગ્રાઉન્ડ પર પહેલી જીત:રાજસ્થાનને 11 રનથી હરાવ્યું; હેઝલવુડે 19મી ઓવરમાં 2 વિકેટ લઈને મેચ પલટી નાખી
RCBની હોમગ્રાઉન્ડ પર પહેલી જીત:રાજસ્થાનન...
Apr 25, 2025
'આ ક્રૂરતાનો ન્યાય થશે...' પહલગામ આતંકી હુમલા અંગે વિરાટ ભાવુક, અનુષ્કાએ શું કહ્યું જુઓ
'આ ક્રૂરતાનો ન્યાય થશે...' પહલગામ આતંકી...
Apr 23, 2025
'ભાઈ, 27 કરોડ પાછા આપી દો...', વધુ એક ફ્લોપ પ્રદર્શન બદલ ઋષભ પંત પર ભડક્યાં ફેન્સ
'ભાઈ, 27 કરોડ પાછા આપી દો...', વધુ એક ફ્...
Apr 23, 2025
BCCIનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર: A+ ગ્રેડમાં રોહિત-કોહલી સાથે બે ગુજરાતી ખેલાડી, શ્રેયસ અને ઈશાનની વાપસી
BCCIનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર: A+ ગ્રે...
Apr 21, 2025
IPL 2025 પછી પણ નિવૃત્તિ નહીં લે મહેન્દ્ર સિંહ ધોની? મુંબઈ સામે પરાજય બાદ આપ્યા સંકેત
IPL 2025 પછી પણ નિવૃત્તિ નહીં લે મહેન્દ્...
Apr 21, 2025
BCCIની મોટી કાર્યવાહી, મેચ ફિક્સિંગ મામલે મુંબઈ T20 લીગના જૂના માલિક પર મૂક્યો પ્રતિબંધ
BCCIની મોટી કાર્યવાહી, મેચ ફિક્સિંગ મામલ...
Apr 19, 2025
Trending NEWS

25 April, 2025

25 April, 2025

25 April, 2025

25 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

23 April, 2025

23 April, 2025