અમદાવાદ એસજી હાઈવે પર મધરાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત

July 14, 2024

અમદાવાદ: અમદાવાદના એસ જી હાઈવે વધુ એક વાર અક્સ્માતથી મોતનો હાઇવે બન્યો છે. શનિવારની રાત્રે એટલે કે ૧૪/૦૭/૨૦૨૪ના રાત્રે 02 30 વાગ્યાની આસપાસ ચાર મિત્રો પોતાની આઇ 20 કાર જેનો નંબર GJ-01-RZ-3288ની લઇને વૈષ્ણવદેવી તરફથી આવી રહી હતી. ત્યારે એસ.જી. હાઇવે ઉપર પેલેડિયમ મોલ સામે ઓવર બ્રિજ પર કાર ઉભી રાખી અને કમલ તથા અલ્પેશ બંને કારમાંથી નીચે ઉતરી કારની જમણી બાજુ ઉભા હતા. 


તે દરમિયાન બીજી બ્રેઝા કાર જેના નંબર GJ38BF-9547 ના ચાલકે કાર પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી પોતાની તથા બીજાની જીવ જોખમમાં મુકાય એ રીતે ચલાવીને આઈ 20 કારને જમણી બાજુ પાછળના બમ્પરને સાઈડથી અથડાવી જમણી બાજુના બંને દરવાજાને અથડાવી નજીકમાં ઉભેલ કમલ તથા અલ્પેશને અથડાવી હતી. જેથી તેઓ બંને રોડ ઉપર પછડાયા હતા. અલ્પેશને માથાના તથા પીઠના ડાબા પગના ભાગે ગંભીર ઈજા થયેલ હતી. સાથે જ કમલને જમણા લમણે જમણી સાથળ બંને ઢીંચણ ઉપર ગંભીર ઇજા થયેલ હતી. સાથે જ અન્ય બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી.  તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અલ્પેશ ગાગડેકર અને કમલ અડવાણી દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસે બ્રેજા કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તો બ્રેઝા કારમાં પ્રભુ ભાઈ દેવાસી, રેખા બેન દેવાસી, અર્જુન દેવાસી અને લાડુબેન દેવાસી સવાર હતા. જેમાં જેણે ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે