કોરાના ભૂલ્યા ત્યાં તો સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસનો કહેર, 4 બાળકોના મોતથી હડકંપ
July 13, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1720869290.sabar.jpeg)
ચાંદીપુર : હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં એક તરફ કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં ચાંદીપુરમા વાયરસે કહેર વર્તાવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના લીધે 4 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચાંદીપુરમ વાયરસના આતંકને જોતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને મૃતક બાળકોના રિપોર્ટ તપાસ માટે પૂના મોકલવામાં આવ્યા છે.
કોરોના વાયરસની મહામારીને લોકો હજુ માંડ માંડ ભૂલ્યું છે, ત્યારે એક નવો વાયરસ આતંક મચાવી રહ્યો છે. જોકે આ વખતે સફાળું જાગી ગયું છે. સાબરકાંઠામાં આરોગ્યની ટીમે સર્વે કામગીરી હાથ ધરી દીધી છે. સર્વે દરમિયાન અરવલ્લીમાં આ શંકાસ્પદ વાયરસના લીધે 2 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજી તરફ ભિલોડાના કંથારિયા વિસ્તારમાં આરોગ્ય ટીમે દ્વારા કરવામાં આવેલા સર્વેમાં હાલમાં 2 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્માના દિગથલી ગામના 5 વર્ષીય બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ લક્ષણો જોવા મળતાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું નિપજ્યું હતું. ચાંદીપુરમ વાયરસના લીધે અત્યાર સુધી 4 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું આરોગ્ય વિભાગનું અનુમાન છે. અત્યાર સુધી 6 કેસ મળી આવ્યા છે જેમાંથી 4 દર્દીઓના મોત નિપજ્યા છે અને બે દર્દીઓ સારવાર હેઠળ છે.
Related Articles
અમદાવાદમાં વરસાદના લીધે વિદ્યાર્થીઓ અટવાયા, અંડરપાસવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદમાં વરસાદના લીધે વિદ્યાર્થીઓ અટવા...
Jul 15, 2024
અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા
અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધર...
Jul 15, 2024
ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, નદીઓ બની ગાંડીતૂર
ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જળબં...
Jul 15, 2024
અમદાવાદ એસજી હાઈવે પર મધરાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત
અમદાવાદ એસજી હાઈવે પર મધરાત્રે થયેલા ગમખ...
Jul 14, 2024
ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બ...
Jul 13, 2024
ગુજરાતના દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ કાઢશે ન્યાય યાત્રા, રાહુલ ગાંધી પણ જોડાશે
ગુજરાતના દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા...
Jul 13, 2024
Trending NEWS
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721034596.10MON.jpg)
15 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721034498.09MON.jpg)
15 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721034366.08MON.jpg)
15 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721034272.07MON.jpg)
15 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721034117.06MON.jpg)
15 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721033927.05MON.jpg)
15 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721033771.04MON.jpg)
15 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721033645.03MON.jpg)
15 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721033328.02MON.jpg)
15 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721033232.01MON.jpg)
15 July, 2024