ટોરોન્ટો એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ એર કેનેડાના વિમાનમાં ભીષણ આગ

June 09, 2024

ટોરોન્ટો - ટોરોન્ટો એરપોર્ટથી પેરિસ માટે ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં એર કેનેડાના વિમાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન પ્લેનમાં 389 મુસાફરો સિવાય 13 ક્રૂ મેમ્બર હતા. આગની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હકીકતમાં, 5 જૂનના રોજ બોઇંગ 777 જેટે ટોરોન્ટોથી ઉડાન ભરી હતી અને ટેકઓફની થોડી જ મિનિટોમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ જમણા એન્જિનમાંથી તણખા નીકળતા જોયા હતા.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેનમાંથી તણખા નીકળતા જોવા મળે છે.
આ અંગે એર કેનેડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઇન્ટરનેટ પર પોસ્ટ કરાયેલી ઘટનાનો વીડિયો કોમ્પ્રેસર સ્ટોલના બિંદુ પર એન્જિનને બતાવે છે, આવું ત્યારે થઈ શકે છે જ્યારે તેની એરોડાયનેમિક્સ ટર્બાઇન એન્જિન સાથે પ્રભાવિત થાય છે. આ વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે. આ એ હકીકતને કારણે હોઈ શકે છે કે એન્જિન દ્વારા હવાનો પ્રવાહ વિક્ષેપિત થાય છે જે બળતણને સળગાવે છે, તેથી જ વિડિયોમાં દેખાતી જ્વાળાઓ એન્જિનની આગ નથી.
આ ખામીની જાણ તરત જ ફ્લાઇટના ક્રૂને કરવામાં આવી હતી, જેમણે પરિસ્થિતિને સંભાળી લીધી અને વિમાનને એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવ્યું હતું. એરલાઈને જણાવ્યું હતું કે, "એરક્રાફ્ટ લેન્ડ થયા પછી સામાન્ય ઓપરેટિંગ પ્રક્રિયાઓ મુજબ એરપોર્ટ રિસ્પોન્સ વાહનો દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
બાદમાં યાત્રીઓને તે જ રાત્રિએ બીજી ફ્લાઈચમાં મોકલવામાં આવ્યા. એક રિપોર્ટ અનુસાર, જે બોઈંગ જેટમાં ખરાબી આવી હતી, તેને સેવામાંથી હટાવી દેવામાં આવ્યું અને તેના મેન્ટેનન્સ સ્ટાફ અને એન્જિનિયરો દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.