ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ
April 27, 2024
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના જંગલોમાં આગ ફાટી નીકળી છે. 26મી એપ્રિલે આ આગ લાગી હતી, જે ફેલાઈને નૈનીતાલમાં હાઈકોર્ટ કોલોની પાસે પહોંચી ગઈ હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા કહ્યું છે. જો કે, આ ઘટના અંગે રૂદ્રપ્રયાગમાંથી ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમના પર જંગલમાં આગ લગાડવાનો આરોપ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી જંગલમાં આગના 31 નવા કેસ નોંધાયા છે.
અહેવાલો અનુસાર, નૈનીતાલ જિલ્લાના બલદિયાખાન, જ્યોલિકોટ, મંગોલી, ખુરપાતાલ, દેવીધુરા, ભવાલી, પાઈન્સ, ભીમતાલ અને મુક્તેશ્વર સહિત અનેક વિસ્તારો આગની લપેટમાં છે. 26મી એપ્રિલના રોજ આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. પાઈન્સ વિસ્તારમાં આવેલી હાઈકોર્ટ કોલોની સુધી આગ પહોંચવાનો ભય છે. નૈનીતાલના ડિવિઝનલ ફોરેસ્ટ અધિકારી ચંદ્રશેખર જોશીએ જણાવ્યું હતું કે, 'અમે મનોરા રેન્જના 40 સૈનિકો અને બે ફોરેસ્ટ રેન્જર્સને આગ ઓલવવા મોકલ્યા છે.'
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આગ ઓલવવાના કામ પર પણ સતત નજર રાખી રહ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે હેલિકોપ્ટર ભીમતાલ તળાવમાંથી પાણી ભરીને જંગલમાં છાંટવામાં આવી રહ્યું છે.
Related Articles
દુષ્કર્મના કેસમાં યુવકે 4 વર્ષની સજા ભોગવી, હવે કેસ ખોટો ઠરતાં કોર્ટે યુવતીને ફટકારી આવી સજા
દુષ્કર્મના કેસમાં યુવકે 4 વર્ષની સજા ભોગ...
'2.5 કરોડ આપો EVM હેક કરી વોટ વધારી દઉં...' શિવસેનાના નેતા પાસે લાંચ માગનાર આર્મી જવાન પકડાયો
'2.5 કરોડ આપો EVM હેક કરી વોટ વધારી દઉં....
May 08, 2024
'દક્ષિણના લોકો આફ્રિકન અને પૂર્વના ચીની જેવા દેખાય છે', સામ પિત્રોડાના વધુ એક નિવેદનથી વિવાદ
'દક્ષિણના લોકો આફ્રિકન અને પૂર્વના ચીની...
May 08, 2024
'વારસાગત ટેક્સ ભારતમાં નહીં ચાલે કારણ કે...' જાણીતાં અર્થશાસ્ત્રીએ કોંગ્રેસને આપ્યો જવાબ
'વારસાગત ટેક્સ ભારતમાં નહીં ચાલે કારણ કે...
May 08, 2024
PM મોદીએ તેલંગણાના રાજેશ્વર સ્વામી મંદિરમાં કર્યા પૂજા-પાઠ
PM મોદીએ તેલંગણાના રાજેશ્વર સ્વામી મંદિર...
May 08, 2024
ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ : પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ વોટિંગ
ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ : પશ્ચિમ બં...
May 08, 2024
Trending NEWS
08 May, 2024
08 May, 2024
May 08, 2024