અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા
June 29, 2025

અમદાવાદ : અમદાવાદમાં 12 જૂને ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થતા વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત નિપજ્યા છે. આ સિવાય વિમાન જે બી.જે મેડિકલની હોસ્ટેલમાં ક્રેશ થયું ત્યાં પણ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. દુર્ઘટનાના 17 દિવસ બાદ આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મૃતકોના આંકડાની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં 260 લોકોના મોત નિજ્યા છે અને તમામ લોકોના પાર્થિવદેહને સન્માનભેર પરિજનોને સોંપી દેવામાં આવ્યા છે.
ઋષિકેશ પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, 12મી જૂને એર ઈન્ડિયાના પ્લેનક્રેશની ઘટનામાં કુલ 260 જેટલા પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આ 260 પરિજનોનામાં 241 મુસાફર હતા અને 19 જેટલા નોન પેસેન્જર હતા. જેમાંથી 6 જેટલાં મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા તેમના પાર્થિવદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ સાથે જ જેમની ડીએનએથી ઓળખ કરવાની જરૂર પડી તેવા 254 જેટલા લોકોને પરિજનો સાથે ડીએનએ મેચિંગ કરીને મૃતદેહોને સોંપી દેવામાં આવ્યા છે.
આ વિશે વધુ વાત કરતા મંત્રીએ કહ્યું કે, 'આ તમામ ઘટનામાં આરોગ્ય કર્મી, પોલીસ કર્મી, AMCની ટીમ, સ્વંયસેવી સંસ્થાઓ તેમજ સ્થાનિકોએ જે રીતે આખી આ ઘટનાની અંદર મદદ કરી અને એકબીજા વિભાગોના સંકલન દ્વારા આપણે આ દર્દનાક ઘટનાને આટોપી શક્યા છીએ. એમાં પણ જ્યારે પરિજનો ખૂબ દુઃખી હાલતમાં હોય ત્યારે તેમની મદદમાં સમયસર તેમના પરિજનોના પાર્થિવદેહની માંગણીને પૂરી કરી શક્યા છીએ. આ સિવાય છેલ્લો મૃતદેહનો ડીએનએ મેચ થતા તે પાર્થિવ શરીરની પણ પરિવારને સોંપણી કરવામાં આવી છે.
Related Articles
હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો
હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ,...
Sep 10, 2025
સરકાર દ્વારા નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા માટે પ્રયાસ ચાલુ છે : ઋષિકેશ પટેલ
સરકાર દ્વારા નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓને...
Sep 10, 2025
બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ, 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ
બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થ...
Sep 09, 2025
ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ
ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયુ...
Sep 09, 2025
અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી
અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુ...
Sep 09, 2025
ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર
ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી...
Sep 09, 2025
Trending NEWS

10 September, 2025

10 September, 2025

10 September, 2025

10 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025