10 વર્ષ બાદ બની રહ્યો છે 'આદિત્ય મંગલ યોગ', ત્રણ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય, મંગળ-સૂર્યદેવની રહેશે વિશેષ કૃપા

February 05, 2024

અમદાવાદ   : વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહે મકર રાશિમાં પ્રવેશ કરી લીધો છે. જેનાથી મકર રાશિમાં રુચક રાજયોગ બનશે જેને પંચમહાપુરુષ યોગમાંથી એક માનવામાં આવે છે. અત્યારે સૂર્ય દેવ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળનું મકરમાં આવવાથી આદિત્ય મંગળ રાજયોગનું નિર્માણ થઈ ગયુ છે. દરમિયાન આદિત્ય મંગળ રાજયોગનો પ્રભાવ તમામ રાશિઓના જાતકો પર જોવા મળશે પરંતુ 3 રાશિઓ એવી છે જેની અત્યારે કિસ્મત ચમકી શકે છે. સાથે જ આકસ્મિક ધનલાભ થઈ શકે છે. 

મેષ રાશિ

આ રાશિના લોકો માટે આદિત્ય મંગલ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. અત્યારે તમને ધન-સંપત્તિનો લાભ મળી શકે છે. સાથે જ તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે અને નાણાકીય લાભ અપાવશે. વેપારીઓ માટે આ સમયગાળો ખૂબ સારો રહેવાનો છે. આ દરમિયાન તમારો વેપાર પહેલાની સરખામણીએ ખૂબ સારો રહેવાનો છે. વિવાહિત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે. સાથે જ અત્યારે તમારો આત્મવિશ્વાસ પણ વધેલો રહેશે. અત્યારે તમારી મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે.

ધન રાશિ

આદિત્ય મંગલ રાજયોગ તમને શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. અત્યારે તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. સાથે જ કરિયરમાં પ્રગતિના યોગ બની રહેશે. અત્યારે તમને આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. સાથે જ તમારા સાહસ અને પરાક્રમમાં પણ વધારો થશે. અત્યારે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ લાંબા સમયથી પડી રહેલી યોજનાઓ સાકાર થવાની છે. જેનાથી તમને ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્રશંસા મળશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે આદિત્ય મંગલ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. અત્યારે તમને નવા કાર્યોમાં સફળતા મળી શકે છે. અત્યારે તમે કોઈ વાહન અને પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. સાથે જ અત્યારે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ સાબિત થશે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. તમને ઘણા અલગ-અલગ ક્ષેત્રોમાં સારા અવસર મળશે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો જોવા મળશે.