વેરાવળ દરિયામાં બોટ પલટી, એકનું મોત, ત્રણનું રેસ્ક્યૂ
December 05, 2025
વેરાવળ ઃ ગીર સોમનાથ વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં બોટ દુર્ઘટનામાં એક માછીમારનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. માછીમારી કરીને પરત ફરતી વખતે ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડેડ હોવાના કારણે પટલી મારી ગઈ હતી. જેમાં એક ખલાસીનું ડૂબવાથી મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ ખલાસીને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં ગત 4 ડિસેમ્બરના રોજ વેરાવળ જાલેશ્વરથી 2 નોટિકલ માઈલ સમુદ્રમાં 'શ્રી ભવાની કૃપા' નામની બોટ પલટી ખાઈ ગઈ હતી. જેમાં માછીમારી કરીને પરત આવતા ખલાસીની બોટમાં ઓવરલોડ થવાના કારણે પટલી હતી. જેમાં માછલી પકડવાની જાળમાં ફસાઈ જવાથી અને ઢગલા નીચે દટાવાથી અરવિંદ ભારાવાલા નામના ખલાસીનું મોત થયું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જાળમાં બહોળા પ્રમાણમાં માછલી આવતા બોટ ઓવરલોડેડ હોવાના કારણે પલટી હતી. આ દુર્ઘટનામાં બોટમાં સવાર અન્ય ત્રણ ખલાસીઓનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. એક ખલાસીના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
Related Articles
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 05, 2026
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખ...
May 05, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026