રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળી, 7 લોકોને અડફેટે લીધા, 3ના મોત
April 16, 2025

રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનો અને 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સુરેશ ધર્મેશભાઈ રાવલ,વિશાલ મકવાણા અને બસ-ચાલક શિશુપાલસિંહ રાણાને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બે મૃતકોના નામ સામે આવ્યા છેે. જેમાં સંગીતાબેન બેલ બહાદુર નેપાળી, (ઉંમર 40) જે બ્યૂટી પાર્લરમાં નોકરી કરે છે અને રાજુભાઈ મનુભાઇ ગીડા (ઉંમર 35) જેઓ રાજકોટ મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે તેમનો સમાવેશ થાય છે.
જોકે અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતાં બસમાં તોડફોડ મચાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે કાફલો દોડી આવ્યો અને લાઠીચાર્જ કરીને લોકોના ટોળાને વિખેર્યું હતું. અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય દર્શિતા શાહ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, , ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે સિગ્નલ વાહન ચાલકો ઉભા હતા, ત્યારે બેફામ ગતિએ સિટી બસ આવે છે અને સિગ્નલ પર ઉભેલા વાહનોને અડફેટે લઇ અકસ્માત સર્જે છે. વાહન ચાલકોને અડફેટે લઇ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે બસનો ચાલક દારુના નશામાં ધૂત હોવા અંગે પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
Related Articles
વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો ભોગ! વલસાડના પલસાણા ગામે ભુવાએ શરીર પર 8 ડામ આપતા મોત
વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો ભોગ! વલસાડ...
Apr 17, 2025
પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, પાંચના કરૂણ મોત
પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષ...
Apr 17, 2025
જેતપુરમાં પોલીસે 31 બાળમજૂરોને મુક્ત કરાવ્યા, સાડીના કારખાનામાં કરાવાતી હતી મજૂરી
જેતપુરમાં પોલીસે 31 બાળમજૂરોને મુક્ત કરા...
Apr 16, 2025
રાહુલ ગાધી મોડાસામાં પહોંચ્યા, કહ્યું : ગુજરાતમાં કોંગ્રેસ લડશે અને જીતશે, ઉપરથી કોઈ આદેશ નહીં આવે
રાહુલ ગાધી મોડાસામાં પહોંચ્યા, કહ્યું :...
Apr 16, 2025
સિંગણપોરમાં વિકૃત માનસિકતા ધરાવતા રિક્ષાચાલકના ત્રાસથી ધો. 10ની વિદ્યાર્થિનીનો ફિનાઈલ પી આપઘાત પ્રયાસ
સિંગણપોરમાં વિકૃત માનસિકતા ધરાવતા રિક્ષા...
Apr 16, 2025
રાજકોટમાં બેફામ સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લીધાં, ત્રણનાં મોતથી લોકોમાં રોષ
રાજકોટમાં બેફામ સિટી બસચાલકે અનેક વાહનોન...
Apr 16, 2025
Trending NEWS

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025