અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત, 26 ફ્લાઇટ્સ રદ
December 08, 2025
દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોમાં સર્જાયેલી સ્ટાફની અછતની કટોકટીનો આજે સોમવારે (8 ડિસેમ્બર) છઠ્ઠો દિવસ છે. પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે ગુજરાતના હવાઈ નેટવર્ક પર મોટી અસર પડી છે. રાજ્યના મુખ્ય ઍરપોર્ટ્સ પરથી આજે ઇન્ડિગોની અંદાજિત 26 ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદ ઍરપોર્ટ પર પરિસ્થિતિ વિકટ બની છે. ઍરપોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, આજની દિવસભરની આવતી અને જતી મળીને કુલ 44 ફ્લાઇટ્સ પર અસર પડી છે. જેમાં સવારના 9 વાગ્યા સુધીમાં જ 18 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. અચાનક ફ્લાઇટ રદ થતાં ઍરપોર્ટ પર મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા. તો બીજી તરફ રાજકોટ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર પણ મુસાફરોનો ગુસ્સો સાતમા આસમાને છે. આજે અહીંથી ઓપરેટ થતી 8માંથી 4 મહત્વની ફ્લાઇટ્સ (મુંબઈ, ગોવા, હૈદરાબાદ, બેંગલુરુ) રદ કરવામાં આવી છે. શુક્રવારથી શરુ થયેલો આ સિલસિલો રવિવાર અને સોમવારે પણ યથાવત્ રહેતાં પ્રવાસીઓ અટવાયા છે. જો સુરત અને વડોદરાની સ્થિતિ પણ અમદાવાદ અને વડોદરા જેવી જ છે. સુરત ઍરપોર્ટ પરથી કોલકાતા, હૈદરાબાદ અને દિલ્હી જતી 3 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે પાંચ દિવસના લાંબા વિરામ બાદ સુરતમાં હૈદરાબાદ અને દિલ્હીથી ફ્લાઇટનું લેન્ડિંગ શરુ થયું છે. વડોદરામાં પણ મુંબઈની કનેક્ટિવિટી તૂટતાં મુસાફરો રઝળી પડ્યા છે.લગ્નસરા અને વેકેશનના માહોલ વચ્ચે ઇન્ડિગોના મિસ-મેનેજમેન્ટને કારણે અગાઉથી બુકિંગ કરાવનાર મુસાફરોને છેલ્લી ઘડીએ મોંઘી ટિકિટો લેવી પડી રહી છે અથવા પ્રવાસ રદ કરવો પડી રહ્યો છે.
Related Articles
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 05, 2026
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખ...
May 05, 2026
Trending NEWS
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે...
09 May, 2026