દ્વારકાધીશ જગતમંદિરમાં ધામધૂમથી ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, તડામાર તૈયારી
March 04, 2023
જામનગર: દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ઉજવણીને લઈને તંત્રએ તડામાર તૈયારીઓ હાથ ધરી છે. દ્વારકા મંદિર પરિસર અને શહેરમાં 1500થી વધુ પોલીસ કાફલો ખડેપગે રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે અને દ્વારકા મંદિર સુરક્ષાના DySp સમીર શારડાના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવાનો અનેરો મહિમા છે ત્યારે ફુલડોલની ઉજવણી માટે દૂર દૂરથી પગપાળા વડે પદયાત્રીઓ લાખોની સંખ્યામાં દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચી રહ્યા છે. મંદિર પરિસરમાં ભક્તજનો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
સંપૂર્ણ વ્યવસ્થા સાથે લાઈન બંધ ભક્તજનો મંદિરમાં પહોંચી શકે તે માટે બેરીકેટ બનાવી અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે સાથે મંડપ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી ગરમીમાં ભક્તજનો હેરાન ન થાય. આગામી તારીખ 8 ના રોજ ધુળેટીના દિવસે બપોરે 2 થી 3 વાગ્યા વચ્ચે મંદિર પરિસરમાં ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાશે. ભગવાન દ્વારકાધીશ સાથે ભક્તો ધુળેટીના રંગોથી રંગાશે જે નજારો ખુબજ આહલાદક હોય છે.
યાત્રાધામ દ્વારકા જગ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરે ખાતે અગામી તારીખ 8/3 ફાગણ વદ (એકમ)ના દિવસે ફુલડોલ ઉત્સવ ધામધુમ પૂર્વક ઉજવવાનો હોય તેને અનુંલક્ષી જગત મંદિરનો કાર્યક્રમ જાહેર કરાયો છે. તા,7/3 મંગળવાર હોળી (પૂર્ણિમાં) નીમિત્તે ઠાકોરજીની મંગળા આરતી 6:00 કલાકે થશે.અનોસર (મંદિર બંધ) બપોરે 01:00 થી 05:00 વાગ્યા સુધી બંધ રહેશે.
સાંજે નિત્યક્રમ મુંજબ દર્શન ખુલ્લા રહેશે. તા,8/3 શુક્રવારના જગત મંદિરે ફુલડોલ ઉત્સવ ઉજવાશે
Related Articles
સાળંગપુરમાં આજથી હનુમાન જયંતી મહોત્સવ : 54 ફૂટ ઊંચી પ્રતિમાને 5 હજાર કિલો પુષ્પોની વર્ષા કરાશે
સાળંગપુરમાં આજથી હનુમાન જયંતી મહોત્સવ :...
રામ નવમીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે ધનલાભનો યોગ
રામ નવમીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રા...
Apr 15, 2024
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ,અયોધ્યા,પ્રયાગરાજ,ઉજ્જૈનમાં આસ્થાનું પૂર
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મંદિરોમાં ભ...
Apr 09, 2024
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવ દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ પાંચ કામ
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવ દિવસ...
Apr 09, 2024
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી, રામલલા માટે અબીલ-ગુલાલ અને 56 ભોગ
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી,...
Mar 24, 2024
હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું છે કારણ? જાણો પૌરાણિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ
હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું...
Mar 23, 2024
Trending NEWS
25 April, 2024
25 April, 2024
25 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
Apr 21, 2024