પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ બનાવાયા, CCSની બેઠકમાં નિર્ણય
April 30, 2025

પાકિસ્તાન સાથે ભારતના તણાવ વચ્ચે ભારતે મોટો નિર્ણય કર્યો છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કર્યો છે. પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત બોર્ડમાં વધુ છ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ પીએમ સિંહા, ભૂતપૂર્વ સધર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એકે સિંહ અને રીઅર એડમિરલ મોન્ટી ખન્ના, લશ્કરી સેવાઓમાંથી નિવૃત્ત અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહ ભારતીય પોલીસ સેવાના બે નિવૃત્ત સભ્યો છે. સાત સભ્યોના બોર્ડમાં બી વેંકટેશ વર્મા નિવૃત્ત વિદેશ સેવા અધિકારી છે. આ નિર્ણય પહલગામ આતંકવાદી હુમલાના પગલે લેવામાં આવ્યો છે, જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા તેમજ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પહલગામ આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારા તેમના નિવાસસ્થાને બોલાવવામાં આવેલી સુરક્ષા મામલેની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Related Articles
અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો - સેના
અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો -...
May 11, 2025
હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવાયો 'સ્પેશિયલ ઝોન
હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવ...
May 11, 2025
પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બન્યા બળવાખોરો, બલૂચિસ્તાનમાં 39 ઠેકાણે કર્યા હુમલા
પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બન્યા બળવા...
May 11, 2025
પાક.ના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધિકારી સહિત છનાં મોત
પાક.ના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધ...
May 11, 2025
અકસ્માત કેસ: ગુજરાત હાઈકોર્ટે તથ્યના 7 દિવસના હંગામી જામીન કર્યા મંજૂર
અકસ્માત કેસ: ગુજરાત હાઈકોર્ટે તથ્યના 7 દ...
May 11, 2025
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણ...
May 11, 2025
Trending NEWS

સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ...
10 May, 2025