બોલિવૂડમાં મારું કરિયર ખતમ કરવા લોકોએ ષડ્યંત્ર કર્યા હતા, ગોવિંદાનો સનસનીખેજ દાવો
March 11, 2025
ગોવિંદા અને સુનિતા આહુજા વચ્ચે છૂટાછેડાના સમાચારો વચ્ચે એક્ટરના લેટેસ્ટ ઈન્ટરવ્યૂએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ગોવિંદાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ તેણે એ પણ જણાવ્યું કે, ફિલ્મી દુનિયાના કેટલાક લોકો મારી ઈમેજ અને પ્રતિષ્ઠાને બરબાદ કરવા માગે છે. હવે ગોવિંદાનું આ નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
હું ખુદને થપ્પડ મારું છું ગોવિંદાએ આ તમામ વાતો મુકેશ ખન્નાની યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર કહી હતી. અભિનેતાએ કહ્યું કે, 'જ્યારે લોકો એવું લખે છે કે મારી પાસે કામ નથી. તો હું કહેવા માગુ છું કે મેં 100 કરોડ રૂપિયાની ફિલ્મને ઠુકરાવી દીધી હતી. હું ઘણી વાર અરીસામાં મારી જાતને જોઉં છું અને આ પ્રોજેક્ટનો ઈનકાર કરવા બદલ ખુદને થપ્પડ મારુ છું.' હું મારી જાતને કહું છું કે, 'તું પાગલ થઈ ગયો છે, આ પૈસામાંથી તારો ખર્ચ નીકળી શક્યો હોત.' ફિલ્મમાં એ જ રોલ હતો જે હાલમાં કામ કરી રહ્યો છે. પણ હું કહેવા માંગુ છું કે, 'તમારે હંમેશા ખુદને સત્ય બોલવું જોઈએ. પોતાને સત્ય કહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તમારી અંદરનો અવાજ સાંભળવો પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે.' ગોવિંદાએ એ દિવસો પણ યાદ કર્યા જ્યારે ઈન્ડસ્ટ્રીમાં કથિત રીતે તેમની બદનામી કરવામાં આવી હતી. આ સાથે જ એટેક પ્લાન કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, હું બદનામીના સમયમાંથી પસાર થયો. આ બધુ પહેલાથી નક્કી જ હતું. તે લોકો મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હટાવવા માગતા હતા. હું સમજી ગયો કે, હું એક અભણ વ્યક્તિ છું અને ભણેલાઓની વચ્ચે આવી ગયો અને તે લોકો મને હટાવવા માગે છે. હું એ લોકોનું નામ ખરાબ કરવા નથી માગતો પરંતુ મને નોતી ખબર કે તેઓ કઈ હદ સુધી જશે. મારા વિરુદ્ધ ષડયંત્ર શરૂ થઈ ગયા હતા. ઘરની બહાર લોકો બંદૂક સાથે પકડાયા. આ બધા ષડયંત્રો બાદ મારો સ્વભાવ બદલાઈ ગયો. આ પહેલા એક ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ કહ્યું હતું કે, 'પોતાના પણ પરાયા થઈ જાય છે.' જૂના દિવસો યાદ કરતાં અભિનેતાએ કહ્યું કે, 'છેલ્લા 14-15 વર્ષોમાં મેં ઘણા પૈસા ઈન્વેસ્ટ કર્યા. લગભગ 16 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકોએ મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. મારી ફિલ્મ થિયેટર સુધી ન પહોંચવા દીધી. તેઓ મારું કરિયર ખતમ કરવા માગતા હતા. જે થઈ ન શક્યું.' જ્યારે ગોવિંદાને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મ ઉદ્યોગમાં તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર થયું? આનો જવાબ આપતા ગોવિંદાએ કહ્યું- 'હા, બિલકુલ થયુ. જેમ લોકો કહે છે - આપણા પોતાના પણ પરાયા બની જાય છે. જો તમારું નસીબ તમારી સાથે ન હોય તો તમારા પોતાના લોકો પણ તમારી વિરુદ્ધ થઈ જાય છે.'
હું ખુદને થપ્પડ મારું છું ગોવિંદાએ આ તમામ વાતો મુકેશ ખન્નાની યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર કહી હતી. અભિનેતાએ કહ્યું કે, 'જ્યારે લોકો એવું લખે છે કે મારી પાસે કામ નથી. તો હું કહેવા માગુ છું કે મેં 100 કરોડ રૂપિયાની ફિલ્મને ઠુકરાવી દીધી હતી. હું ઘણી વાર અરીસામાં મારી જાતને જોઉં છું અને આ પ્રોજેક્ટનો ઈનકાર કરવા બદલ ખુદને થપ્પડ મારુ છું.' હું મારી જાતને કહું છું કે, 'તું પાગલ થઈ ગયો છે, આ પૈસામાંથી તારો ખર્ચ નીકળી શક્યો હોત.' ફિલ્મમાં એ જ રોલ હતો જે હાલમાં કામ કરી રહ્યો છે. પણ હું કહેવા માંગુ છું કે, 'તમારે હંમેશા ખુદને સત્ય બોલવું જોઈએ. પોતાને સત્ય કહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તમારી અંદરનો અવાજ સાંભળવો પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે.' ગોવિંદાએ એ દિવસો પણ યાદ કર્યા જ્યારે ઈન્ડસ્ટ્રીમાં કથિત રીતે તેમની બદનામી કરવામાં આવી હતી. આ સાથે જ એટેક પ્લાન કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, હું બદનામીના સમયમાંથી પસાર થયો. આ બધુ પહેલાથી નક્કી જ હતું. તે લોકો મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હટાવવા માગતા હતા. હું સમજી ગયો કે, હું એક અભણ વ્યક્તિ છું અને ભણેલાઓની વચ્ચે આવી ગયો અને તે લોકો મને હટાવવા માગે છે. હું એ લોકોનું નામ ખરાબ કરવા નથી માગતો પરંતુ મને નોતી ખબર કે તેઓ કઈ હદ સુધી જશે. મારા વિરુદ્ધ ષડયંત્ર શરૂ થઈ ગયા હતા. ઘરની બહાર લોકો બંદૂક સાથે પકડાયા. આ બધા ષડયંત્રો બાદ મારો સ્વભાવ બદલાઈ ગયો. આ પહેલા એક ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ કહ્યું હતું કે, 'પોતાના પણ પરાયા થઈ જાય છે.' જૂના દિવસો યાદ કરતાં અભિનેતાએ કહ્યું કે, 'છેલ્લા 14-15 વર્ષોમાં મેં ઘણા પૈસા ઈન્વેસ્ટ કર્યા. લગભગ 16 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકોએ મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. મારી ફિલ્મ થિયેટર સુધી ન પહોંચવા દીધી. તેઓ મારું કરિયર ખતમ કરવા માગતા હતા. જે થઈ ન શક્યું.' જ્યારે ગોવિંદાને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મ ઉદ્યોગમાં તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર થયું? આનો જવાબ આપતા ગોવિંદાએ કહ્યું- 'હા, બિલકુલ થયુ. જેમ લોકો કહે છે - આપણા પોતાના પણ પરાયા બની જાય છે. જો તમારું નસીબ તમારી સાથે ન હોય તો તમારા પોતાના લોકો પણ તમારી વિરુદ્ધ થઈ જાય છે.'
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બ...
24 April, 2026
સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ: 'કંઈ શક્ય...
24 April, 2026
ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાન...
24 April, 2026
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદવારો પાસે...
24 April, 2026
UKમાં 'સ્મોક-ફ્રી જનરેશન' થશે તૈયાર, 2008 પછી જન્મ...
24 April, 2026
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રૅકોર્ડબ્રેક મતદાન, પ્રથમ ત...
24 April, 2026
'તાત્કાલિક ઈરાન છોડી દો..', તેહરાન સ્થિત ભારતીય દૂ...
23 April, 2026
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પ...
23 April, 2026
ગુજરાત આવી રહેલા જહાજ પર હુમલા બાદ ઈરાનનો કબજો, હો...
22 April, 2026
કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડોદરાના ટૂર...
22 April, 2026