Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

ઈરાને અમેરિકા પર 'બ્લેક ગેમ' રમવાનો આરોપ લગાવ્યો: નાકાબંધી ચાલુ રહેશે ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં

April 20, 2026

ઈરાન અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત બીજા રાઉન્ડની વાટાઘાટો અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઈરાને હાલ આ વાટાઘાટોમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે ઈસ્લામાબાદમાં બીજા રાઉન્ડની વાટાઘાટો અંગેના અહેવાલો સદંતર ખોટા હતા. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં વાતચીત કરવા માટે પોતાના પ્રતિનિધિઓને મોકલવાનો આદેશ આપ્યો છે. મિડલ ઈસ્ટમાં આગામી ૨૨ એપ્રિલે સીઝફાયર સમાપ્ત થવાનું છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ અમેરિકાની માંગણીઓને હદ કરતાં વધારે અને ગેરવાજબી ગણાવી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે અમેરિકાની અવાસ્તવિક અપેક્ષાઓ અને પરિસ્થિતિઓમાં વારંવાર થતા પરિવર્તનને કારણે વાતચીતમાં અવરોધ આવ્યો હતો. આ ઉપરાંત, સીઝફાયરનું ઉલ્લંઘન કરતી નૌકાદળની નાકાબંધી અને ધમકીભર્યા નિવેદનોએ પણ વાટાઘાટોને અસર કરી હતી. તેહરાને અમેરિકા પર 'બ્લેક ગેમ' રમવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. ઈરાને કહ્યું હતું કે દેશ પર દબાણ લાવવા માટે અમેરિકા બીજા રાઉન્ડની વાટાઘાટોમાં ઈરાનની ભાગીદારી અંગે ખોટું બોલી રહ્યું હતું.

પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રેઝા અમીરી મોઘાદમે પણ અમેરિકાની આકરી ટીકા કરી હતી. ઈરાની જહાજ પર હુમલો થયા બાદ તેમણે અમેરિકા પર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અમેરિકા આ રીતે નાકાબંધી વધારી શકે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા ઈરાનને યુદ્ધ અપરાધોની ધમકી આપી શકે નહીં અને ગેરવાજબી માંગણીઓ પર ભાર મૂકી શકે નહીં. જ્યાં સુધી નૌકાદળની નાકાબંધી ચાલુ રહેશે ત્યાં સુધી બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની વાટાઘાટો થશે નહીં.