દશેરાના પર્વ પર જાણો રાવણ દહનથી લઈને પૂજાનું મુહૂર્ત અને અને વિધિ
October 12, 2024
દશેરા અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે રાવણનો વધ કરીને માતા સીતાને લંકામાંથી મુક્ત કરાવ્યા હતા. દર વર્ષે આ અવસર પર લંકાપતિ રાવણ, કુંભકરણ અને મેઘનાદના પૂતળાઓનું દહન કરવામાં આવે છે. એવામાં આજે વિજયાદશમી પર કયા શુભ મુહૂર્ત અને યોગ બની રહ્યા છે તે જાણીએ.
દશેરા 2024 શુભ મુહૂર્ત
દશમી તિથિ 12મી ઓક્ટોબરે એટલે કે આજે સવારે 10.58 કલાકે શરૂ થશે અને 13મી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે સવારે 09.08 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, દશેરા 12 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે.
પૂજાનો સમય આજે સવારે 11:44 થી 12:30 સુધીનો રહેશે. તે પછી, આજે સમય બપોરે 02:03 થી 02:49 સુધીનો રહેશે, જે 46 મિનિટનો છે અને બપોરના પૂજાનો સમય એટલે કે દેવી અપરાજિતાની પૂજાનો સમય આજે બપોરે 01:17 થી 03:35 સુધીનો રહેશે.
રાવણ દહનનો શુભ સમય
રાવણ દહન પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. તેથી રાવણ દહનનો સમય આજે સાંજે 5.53 થી 7.27 સુધીનો રહેશે.
દશેરા પૂજનવિધિ
આ દિવસે બાજોઠ પર લાલ રંગનું કપડું પાથરીને તેના પર ભગવાન શ્રી રામ અને મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો. આ પછી, હળદરથી ચોખાને પીળા કર્યા પછી, ભગવાન ગણેશને સ્વસ્તિક સ્વરૂપમાં સ્થાપિત કરો. નવ ગ્રહોની સ્થાપના કરો. તમારા ઈષ્ટદેવની આરાઘના કરી ને તેમને સ્થાપનમાં સ્થાન આપો અને લાલ ફૂલથી પૂજા કરો. ત્યારબાદ ગોળથી બનેલું ભોજન ચઢાવો. આ પછી જેટલું બની શકે એટલું દાન કરો અને ગરીબોને ભોજન કરાવો.
દશેરાના ઉપાયો
જોબ-બિઝનેસમાં સફળતા મેળવવા
જો તમે નોકરી કે ધંધામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેને દૂર કરવા માટે દશેરાના દિવસે 'ઓમ વિજયાય નમઃ' મંત્રનો જાપ કરો. આ પછી દેવી દુર્ગાની પૂજા કરો અને તેમને 10 ફળ અર્પણ કરો. ત્યારબાદ આ ફળોને ગરીબોમાં વહેંચો. આનાથી તમામ પીડા અને કષ્ટ દૂર થાય છે.
સુખ અને સમૃદ્ધિનો ઉકેલ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દશેરાના દિવસે સાંજે દેવી લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે મંદિરમાં સાવરણીનું દાન કરો. આમ કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે.
નાણાકીય સમસ્યાઓનો ઉકેલ
દશેરાના દિવસે શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જો તમે આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ ઉપાય ખૂબ જ સારો માનવામાં આવે છે. તેમજ દશેરાના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
Related Articles
આગામી 24મીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં, સાધના માટે શ્રેષ્ઠ દિવસ; સોનુ-ચાંદી, ગાયનું ઘી, ચોપડા ખરીદી શકાય
આગામી 24મીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં, સાધન...
કરવા ચોથ પર 80 વર્ષ બાદ દુર્લભ સંયોગ, આ 5 રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ
કરવા ચોથ પર 80 વર્ષ બાદ દુર્લભ સંયોગ, આ...
Oct 14, 2024
આજે પ્રથમ નોરતે અંબાજી મંદિરમાં ગંધાષ્ટકમ અત્તરનું પૂજન કરાશે
આજે પ્રથમ નોરતે અંબાજી મંદિરમાં ગંધાષ્ટક...
Oct 03, 2024
નવરાત્રિના નવ દિવસ રંગોનું છે ખાસ મહત્ત્વ, જાણો કયા દિવસે કયા રંગના વસ્ત્રો ધારણ કરવા છે શુભ
નવરાત્રિના નવ દિવસ રંગોનું છે ખાસ મહત્ત્...
Oct 01, 2024
આ ચાર રાશિના જાતકોના જીવનમાં આવશે બદલાવ: ઓકટોબરની શરૂઆતમાં જ રાહુના નક્ષત્રમાં શનિનો પ્રવેશ
આ ચાર રાશિના જાતકોના જીવનમાં આવશે બદલાવ:...
Oct 01, 2024
આ રાશિના લોકો સાવચેત રહે, ચંદ્રગ્રહણની આખા મહિના સુધી અસર દેખાશે!
આ રાશિના લોકો સાવચેત રહે, ચંદ્રગ્રહણની આ...
Sep 18, 2024
Trending NEWS
25 October, 2024
25 October, 2024
24 October, 2024
23 October, 2024
23 October, 2024
23 October, 2024
23 October, 2024
23 October, 2024
21 October, 2024
21 October, 2024
Oct 19, 2024