ટ્રુડોને મોદીએ 4 દિવસ પછી ટ્વીટનો જબાવ આપ્યો
June 10, 2024
નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. ચૂંટણી જીત્યા બાદથી તેમને ખૂબ અભિનંદન મળી રહ્યા છે. મોદી તેમને સ્વીકારી રહ્યા છે અને દરેકને જવાબ પણ આપી રહ્યા છે. ગઈકાલે
વડાપ્રધાન મોદીએ 4 દિવસ બાદ અભિનંદન સ્વીકાર્યા હતા. આ અભિનંદન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તરફથી હતા, જેમણે ભારત પર નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.
ટ્રુડોએ 6 જૂને મોદીને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, કેનેડા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પીએમ મોદીની સરકાર સાથે કામ કરવા તૈયાર છે. અમે માનવ અધિકાર, વિવિધતા
અને કાયદાના પાલન પર કામ કરીશું. મોદીએ 4 દિવસ પછી ગઈકાલે આનો જવાબ આપ્યો હતો.
ટ્રુડોના ટ્વીટના જવાબમાં મોદીએ લખ્યું, 'તમારા અભિનંદન બદલ ટ્રુડોનો આભાર. ભારત પરસ્પર સમજણ અને એકબીજાની ચિંતાઓનું સન્માન કરીને કેનેડા સાથે કામ કરવા તૈયાર છે.'
હકીકતમાં, કેનેડામાં થઈ રહેલી ભારત વિરોધી ગતિવિધિઓ સામે ભારત સતત વાંધો ઉઠાવી રહ્યું છે. જ્યારે કેનેડા અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે તેમની સામે પગલાં લેતું નથી. પોતાના જવાબ દ્વારા મોદીએ ફરી એ વાતનો
પુનરોચ્ચાર કરવાનો પ્રયાસ કર્યો છે કે, કેનેડા અને ભારતે સંબંધો સુધારવા માટે એકબીજાની ચિંતાઓને સમજવી પડશે.
ટ્રુડો અને મોદી વચ્ચે આ વાતચીત ત્યારે થઈ જ્યારે થોડા દિવસો પહેલા કેનેડાની સંસદીય પેનલે ભારતને તેના માટે બીજો સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો.
ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડામાં સતત ભારત વિરોધી રેલીઓ કરી રહ્યા હતા. ભારતે વારંવાર આ રેલીઓ સામે વાંધો ઉઠાવ્યો હોવા છતાં કેનેડા કોઈ પગલાં લઈ રહ્યું ન હતું. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડવા
લાગ્યા હતા. ત્યાર બાદ સપ્ટેમ્બર 2023માં ભારતમાં G-20 સમિટ યોજાઈ હતી. ટ્રુડો આ માટે ભારત પણ આવ્યા હતા. જો કે, ખાલિસ્તાનીઓના વિવાદને કારણે તે લગભગ તમામ G-20 ઇવેન્ટ્સમાં અલગ-અલગ દેખાયા
હતા. તે G-20 ડિનરમાં પણ સામેલ થયા ન હતા. બંને દેશો વચ્ચે વેપારને લઈને કોઈ ડીલ થઈ શકી નથી.
સમિટ સમાપ્ત થયા બાદ ટ્રુડો તરત જ કેનેડા પરત ફરવાના હતા. આમ છતાં તે 2 દિવસથી ભારતમાં અટવાયેલા હતા. તેનું કારણ તેના પ્લેનમાં ટેકનિકલ ખામી હતી. આના પર ભારતે ટ્રુડોને તેના IAF વન પ્લેનની ઓફર
કરી હતી, પરંતુ કેનેડાએ તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો.
ટ્રુડો માટે કેનેડાથી અન્ય પ્લેન મંગાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણસર તેને અધવચ્ચે વાળવામાં આવ્યું હતું. તે સમયસર ભારત પહોંચી શક્યા ન હતા. અંતે જ્યારે ક્ષતિગ્રસ્ત પ્લેનનું સમારકામ કરવામાં આવ્યું ત્યારે જ
ટ્રુડો 36 કલાક પછી જ તેમના દેશમાં પાછા ફરવા સક્ષમ હતા.
G-20 સમિટમાંથી પરત ફર્યાના 8 દિવસ બાદ જ ટ્રુડોએ પોતાની સંસદમાં ભારત પર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ બગડ્યા હતા.
Related Articles
કેનેડાના રાજદ્વારીએ ઝેર ઓક્યું, કહ્યું - નિજ્જર-પન્નુ પર એક તીરથી નિશાન તાકી રહ્યું હતું ભારત
કેનેડાના રાજદ્વારીએ ઝેર ઓક્યું, કહ્યું -...
ભારતમાં આતંકી ગતિવિધિમાં કેનેડિયન અધિકારીનું નામ સામેલ, ઈન્ડિયાએ ટ્રૂડો સરકારને મોકલી વિગતો
ભારતમાં આતંકી ગતિવિધિમાં કેનેડિયન અધિકાર...
Oct 19, 2024
'બાકી ભારતીય રાજદ્વારીઓ પણ નોટિસ પર..', ભારત સાથે બબાલમાં કેનેડાના વિદેશ મંત્રીએ ઘી હોમ્યું
'બાકી ભારતીય રાજદ્વારીઓ પણ નોટિસ પર..',...
Oct 19, 2024
ભારત પર આરોપ મૂકવાની જરૂર શું હતી...' કેનેડાના NSAએ PM ટ્રુડો સામે ઊઠાવ્યાં સવાલ
ભારત પર આરોપ મૂકવાની જરૂર શું હતી...' કે...
Oct 18, 2024
ટ્રુડોને માથે લટકતી તલવાર, પક્ષમાં અસંતોષનો સૂર ઊઠ્યો
ટ્રુડોને માથે લટકતી તલવાર, પક્ષમાં અસંતો...
Oct 18, 2024
કેનેડા બાદ અમેરિકાએ ભારતના પૂર્વ રૉ ઓફિસર પર લગાવ્યાં પત્નુની હત્યાના કાવતરાંનો આરોપ
કેનેડા બાદ અમેરિકાએ ભારતના પૂર્વ રૉ ઓફિસ...
Oct 18, 2024
Trending NEWS
20 October, 2024
20 October, 2024
20 October, 2024
20 October, 2024
20 October, 2024
20 October, 2024
19 October, 2024
19 October, 2024
19 October, 2024
19 October, 2024
Oct 20, 2024