Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

ખાડીપૂરના કારણે સુરતની 'સૂરત' બગડી: અનેક વિસ્તારો બેટમાં ફેરવાતા લોકોને રેસ્ક્યૂ કરવા પડ્યા

June 24, 2025

ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયાથી મેઘમહેર જોવા મળી રહી છે. જોકે, મેઘરાજા દક્ષિણ ગુજરાત માટે આફત બની રહ્યા છે. સુરતમાં છેલ્લાં દોઢ દિવસમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. જોકે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિશે જણાવ્યું કે, ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં જો સમસ્યા વકરી તો સ્થળાંતરની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. 

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિશે વાત કરતા જણાવ્યું કે, 'વહેલી સવારથી જ વરસેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હોવાની સમસ્યા સામે આવી છે. જોકે, મોટાભાગની જગ્યાઓએથી મોટર અને અન્ય કામગીરી દ્વારા પાણી કાઢી દેવામાં આવ્યા છે. જોકે, હજુ પણ આ કામગીરી શરૂ છે અને મહાનગર પાલિકાની ટીમ આ વિશે સ્થળ પર છે અને કાર્યવાહી કરી રહી છે. હું અને મુખ્યમંત્રી સતત કામગીરીની પ્રક્રિયા કરનારા લોકો સાથે સંપર્કમાં છીએ. નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં સ્થળાંતરની જરૂર જણાશે તો તેની કાર્યવાહી પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે.'