22 મૃતકોના મૃતદેહો પરિવારને સોંપાયા, 47ના DNA મેચ
June 15, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પી કે મિશ્રાએ રવિવારે અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ સ્થળની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું. તેમણે સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારના અધિકારીઓએ મિશ્રાને દુર્ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી. મિશ્રાએ પોસ્ટમોર્ટમ રૂમની પણ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'આ ગંભીર દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. દરેક વ્યક્તિ દુઃખી છે. દુઃખ વહેંચવું અને પીડિતો પ્રત્યે આપણી લાગણીઓ વ્યક્ત કરવી એ આપણી ફરજ છે.'
એડિશનલ સિવિલ સુપરિટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, કુલ 47 મૃતકોના ડીએનએ સેમ્પલ તેમના પરિવારજનો સાથે મેચ થઈ ચૂક્યા છે. જેમાંથી 24 જણના મૃતદેહો પરિવારને સોંપાયા છે.
સ્ટેટ ઈમરજન્સી કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં 22 લોકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. 22 મરણના દાખલા જાહેર કરવામાં આવ્યા છે. અમારી 22 ટીમ પરિવારજનોને ઈન્સ્યોરન્સ પ્રક્રિયા સંબંધિત કાર્યવાહીમાં મદદ કરી રહી છે. વિદેશી મૃતકોનો પરિવાર આવતીકાલે સાંજ સુધીમાં અમદાવાદ પહોંચશે.
Related Articles
ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમાં આજે પણ અનેક ફ્લાઇટ રદ
ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમા...
Dec 10, 2025
ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત: ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત
ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડત...
Dec 09, 2025
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક...
Dec 08, 2025
અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત, 26 ફ્લાઇટ્સ રદ
અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવા...
Dec 08, 2025
કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ બનશે': પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ઘટના
કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ...
Dec 07, 2025
જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટના, વીડિયો સામે આવ્યા
જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટના,...
Dec 07, 2025
Trending NEWS
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
09 December, 2025
09 December, 2025