રાહુલ ગાંધીએ જે રીતે અમેઠી છોડ્યું, એવી જ રીતે વાયનાડ પણ છોડશેઃ નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ
April 20, 2024
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાબના મતદાન બાદ બીજા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મહારાષ્ટ્ર (Maharashtra)ના નાંદેડમાં જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર શુક્રવારે મતદાન સમાપ્ત થયું હતું. હવે બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના નાંદેડ(Nanded)માં એક જાહેર સભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi)પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે 'રાહુલ ગાંધીએ જે રીતે અમેઠી છોડ્યું, એવી જ રીતે વાયનાડ પણ છોડશે.' આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ સોનિયા ગાંધી (Sonia Gandhi) પર કટાક્ષ કરતા વધુમાં કહ્યું હતું કે 'સોનિયા ગાંધી રાજ્યસભા થકી સંસદ પહોંચી ગયા.' વડાપ્રધાને આજે પોતાના સંબોધનમાં કોંગ્રેસ નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે 'આ લોકો ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ સત્ય એ છે કે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી જાહેર થયા પહેલા જ હાર સ્વીકારી લીધી છે.' વડાપ્રધાન મોદી (PM Modi)એ ઈન્ડિયા ગઠબંધન વિશે બોલતા કહ્યું કે 'મતદાન બાદ બૂથ લેવલ સુધી વિવિધ લોકો દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ અને જે માહિતી મળી રહી છે એની એ વિશ્વાસ પાક્કો થઈ રહ્યો છે કે પ્રથમ તબક્કામાં એનડીએ(NDA)ની તરફેણમાં એકતરફી મતદાન થયું હતું. મતદારો એ પણ જોઈ રહ્યા છે કે કેવી રીતે INDI એલાયન્સના લોકો પોતાના ભ્રષ્ટાચારને બચાવવા પોતાના સ્વાર્થ માટે એક થઈ ગયા છે. તેથી, પ્રથમ તબક્કામાં મતદારોએ INDI એલાયન્સને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે.
Related Articles
સલમાનના ઘર પર ફાયરિંગ કેસના આરોપીનો આપઘાત
સલમાનના ઘર પર ફાયરિંગ કેસના આરોપીનો આપઘા...
માલદીવમાં ભારતીયો સાથે મારામારી, બે લોકો ઘાયલ, એકની અટકાયત
માલદીવમાં ભારતીયો સાથે મારામારી, બે લોકો...
May 01, 2024
દિલ્હી NCRની 13 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
દિલ્હી NCRની 13 શાળાઓને બોમ્બથી ઉડાવી દે...
May 01, 2024
બિહાર અને ઓડિશા સહિત અનેક રાજ્યોમાં હીટ વેવ, IMDનું એલર્ટ
બિહાર અને ઓડિશા સહિત અનેક રાજ્યોમાં હીટ...
May 01, 2024
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કરશે રામલલ્લાના દર્શન, અયોધ્યામાં ચાંપતો બંદોબસ્ત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કરશે રામલલ્લાન...
May 01, 2024
ચૂંટણી ટાણે કેજરીવાલની ધરપકડ કેમ ? સુપ્રીમ કોર્ટના EDને 6 સવાલ
ચૂંટણી ટાણે કેજરીવાલની ધરપકડ કેમ ? સુપ્ર...
Apr 30, 2024
Trending NEWS
કલોલમાં સૂર્યનારાયણ મંદિરમાં મૂર્તિઓ ખંડિત થતા હોબ...
30 April, 2024
ચૂંટણી ટાણે કેજરીવાલની ધરપકડ કેમ ? સુપ્રીમ કોર્ટના...
30 April, 2024
ચૂંટણીમાં વિપક્ષ 6 મુદ્દાને લઈને હાવી, ભાજપ 400 બે...
30 April, 2024
હિન્દુ એક્ટ હેઠળ મુસ્લિમ મહિલાએ સંપત્તિમાં હિસ્સો...
30 April, 2024
લંડનમાં એક વ્યક્તિનો તલવાર સાથે આતંક: અનેક લોકો ઘા...
30 April, 2024
સિવિયર હીટવેવની આગાહી:ગુજરાતમાં પાંચ દિવસમાં બેથી...
30 April, 2024
T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, રોહિત જ કેપ...
30 April, 2024
મુંબઈ-આગરા હાઈવે પર ગોઝારો અકસ્માત, બસનું કચ્ચરઘાણ...
30 April, 2024
અમેરિકાના ઓક્લાહોમામાં ટોર્નેડો, ચારનાં મોત, સેંકડ...
30 April, 2024
પોસ્ટરમાં મનમોહનસિંહ સાથે દેખાયો યાસિન મલિક, એક્શન...
30 April, 2024
May 01, 2024