મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી : બે વ્યક્તિ દટાયા હોવાની આશંકા

July 27, 2024

અતિભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાઝ વિસ્તારમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે અહીં બે વ્યક્તિ દટાયા હોવાની આશંકા છે. બિલ્ડિંગમાં કુલ 24 પરિવારો રહેતા હતા. બે વ્યક્તિ કાટમાળ નીચે દટાયા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF ઘટનાસ્થળે હાજર છે. બચાવ કામગીરી ચાલી રહી છે. જેસીબીને પણ સ્થળ પર બોલાવી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન નજીક આવેલી ચાર માળની ઇમારત રૂબિનિસા મંઝિલમાં સવારે 11:00 વાગ્યે બની હતી. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, બીજા અને ત્રીજા માળની બાલ્કની અને સ્લેબનો એક ભાગ અગાઉ તૂટ્યો હતો અને અમુક ભાગ જોખમી રીતે લટકી ગયા હતા.