અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસે પલટી મારતા 2 મુસાફરોના થયા મોત

October 07, 2024

બનાસકાંઠાના અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસે પલટી મારતા 2 મુસાફરોના મોત થયા છે અને 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે,ખેડાના કઠલાલના ભક્તો દર્શન કરીને પરત ફરતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.મુસાફરોનો આક્ષેપ છે કે,ડ્રાઈવર નશો કરીને બસ ચલાવી રહ્યો હતો.પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથધરી છે.

ત્રિશૂળિયા ઘાટ પર લક્ઝરી બસે પલટી મારતા 25 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે સાથે સાથે તમામને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અંબાજીથી દાંત વચ્ચે લકઝરી બસનો અકસ્માત થયો છે.4થી વધુ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવાામાં કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે પ્રોટેકશન વોલને કારણે બસ ખીણમાં ખાબકતા રહી ગઈ એટલે મોટી જાનહાની ટળી હતી,હાલ મામલતદાર તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.