મણિપુરમાં ઉગ્રવાદી હુમલામાં 4 મોત, 2 મહિલાઓ સામેલ, તામેંગલોંગ-નોનીમાં રવિવારે બે હુમલા
September 14, 2026
મણિપુરના તામેંગલોંગ અને નોની જિલ્લામાં રવિવારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ બે અલગ-અલગ હુમલા કરતાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા 4 લોકોનાં મોત થયા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે તામેંગલોંગમાં વહેલી સવારે લગભગ 4 વાગ્યે થયેલા હુમલામાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે આશરે 12 કલાક બાદ બીજી એક ઘટના બની હતી અને તેમાં પણ 2 લોકોનાં મોત થયાં હતાં.
અહેવાલ મુજબ, ઈમ્ફાલને જીરીબામ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-37 નજીક આવેલા ટોલ્લેન કુકી ગામમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ એક ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લિંગનગાઈ સિંગસિટનું મોત થયું હતું, જ્યારે તેમના પતિ સેઈનૈહ સિંગસિટ અને નવજાત પુત્ર ઘાયલ થયા હતા. ગામમાં પહોંચેલા સુરક્ષા દળોએ ઘાયલોને તબીબી મદદ પહોંચાડી હતી. બાદમાં સેઈનૈહને હોસ્પિટલ લઈ જતી વખતે પડોશી રાજ્ય આસામના સિલચર ખાતે રસ્તામાં જ તેમનું મોત થયું હતું.
બીજી ઘટનામાં નોંગબા પોલીસ મથક હેઠળના લોંગપી ગામમાં 13 સપ્ટેમ્બરે બપોરે લગભગ 3:30 વાગ્યે હથિયારબંધ ઉગ્રવાદીઓએ એક મહિલા અને એક પુરુષની ગોળી મારી હત્યા કરી હતી. પોલીસે બંને મૃતકોની ઓળખ જૂલી ગંગટે અને આર. ગંગટે તરીકે કરી છે. આમ, રવિવારે બનેલી બંને ઘટનાઓમાં કુલ 4 લોકોનાં મોત થયા હતા, જેમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે.
મણિપુરના મુખ્યમંત્રી વાઈ. ખેમચંદ સિંહે બંને હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે નિર્દોષ નાગરિકો સામે હિંસા કરવી સંપૂર્ણપણે કાયરતા છે. આવી ઘટનાઓ સ્વીકાર્ય નથી અને આપણા સમાજમાં હિંસાને કોઈ સ્થાન ન હોવું જોઈએ, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
Related Articles
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ: ભાજપ 163 બેઠકો જીતી મોખરે, કોંગ્રેસ 103 પર સમેટાઈ
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ:...
Sep 14, 2026
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે મદરેસાઓ પર તવાઈ: મંજૂરી વિના ચાલતા 252 મદરેસા બંધ કરાશે, 100ને નોટિસ
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે મદરેસાઓ પર તવાઈ...
Sep 14, 2026
મહારાષ્ટ્રમાં MPSC ગેરરીતિ સામે અભિજિત દીપકેનો મોરચો, 24 સપ્ટેમ્બર સુધી અલ્ટીમેટમ
મહારાષ્ટ્રમાં MPSC ગેરરીતિ સામે અભિજિત દ...
Sep 14, 2026
21 રાજ્યોમાં 2029 પહેલાં UCC લાગુ કરવાની કેન્દ્રની જાહેરાત
21 રાજ્યોમાં 2029 પહેલાં UCC લાગુ કરવાની...
Sep 13, 2026
બાલાઘાટમાં 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ દીપકેએ મુખ્યમંત્રી પદેથી વ્યંગ્યાત્મક રાજીનામું આપ્યું
બાલાઘાટમાં 30 થી વધુ આદિવાસી બાળકોના મોત...
Sep 13, 2026
ભારત-અમેરિકાની મેગા ડીલ: સમુદ્રની અંદર કેબલ નેટવર્ક સુરક્ષિત કરવા નિર્ણય
ભારત-અમેરિકાની મેગા ડીલ: સમુદ્રની અંદર ક...
Sep 12, 2026
Trending NEWS
13 September, 2026
13 September, 2026
13 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026