અમરેલી: પતિના સહકર્મીએ દુષ્કર્મ આચર્યું, ફરિયાદ ન લેવાતા આપઘાતનો પ્રયાસ
November 16, 2025
અમરેલી: અમરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક 22 વર્ષીય યુવતીએ તેના પતિના સહકર્મીએ જ દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ કેસમાં પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઊઠી રહ્યા છે, કારણ કે પીડિત પક્ષે આક્ષેપ કર્યો છે કે પોલીસે શરૂઆતમાં ફરિયાદ ન નોંધીને આરોપીને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, યુવતીના પતિના સહકર્મીએ જ આ કૃત્ય આચર્યું હોવાનું કહેવાય છે. 22 વર્ષીય યુવતીએ તેના પતિના સહકર્મી પર ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, યુવતીના પતિએ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં, અસામાજિક તત્ત્વોએ તેને કેસ નહીં નોંધવા માટે ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ ગંભીર આક્ષેપો છતાં, અમરેલી પોલીસે શરૂઆતમાં ફરિયાદ દાખલ ન કરતાં પીડિત યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી. પીડિત પક્ષનો આક્ષેપ છે કે પોલીસે હજી સુધી ફરિયાદ દાખલ કરી નથી અને આરોપીને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા આખરે પીડિત યુવતીએ હતાશ થઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવતીને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવતા જ અમરેલી સિટી પોલીસ દોડતી થઈ હતી. તંત્ર પર દબાણ વધતાં આખરે પોલીસે પીડિત યુવતીની ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં પોલીસની શરૂઆતની નિષ્ક્રિયતા અને પીડિતાના આપઘાતના પ્રયાસને કારણે પોલીસની કામગીરી અને કાયદાના શાસન પર ગંભીર સવાલો ઊભા થયા છે.
Related Articles
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમ...
May 09, 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026