એથર અગ્નિકાંડમાં વધુ એક શ્રમિકનું મોત, અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા
December 05, 2023

સુરતના સચિન GIDC સ્થિત એથર કેમિકલ મિલમાં આગનો મામલે હજી પણ ઈજાગ્રસ્ત શ્રમિકોના મોતની ઘટના સામે આવી રહી છે. આ વચ્ચે આજે આગમાં ગંભીર રીતે દાઝેલા વધુ એક કામદારનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. છેલ્લા ચાર દિવસથી શ્રમિક સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હતો જ્યાં તેને અંતિમ શ્વાસ લીધો છે.
સચિન GIDC માં આવેલી એથર કેમિકલ મિલમાં 4 દિવસ અગાઉ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. જેમાં 7 જેટલાં શ્રમિકો હોમાય ગયા હતા. આ પછી બીજા દિવસે કાટમાળ હટાવતાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ પછી આજે 40 વર્ષીય પ્રમોદ મદારી ગૌતમ નામના શ્રમિકનું મોત થયું છે. પ્રમોદ મદારી ગૌતમ ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો.
આ પછી એથર મીલ આગમાં અત્યાર સુધી 8 કામદારોના મોત થયા હતા. જે પછી હવે વધુ એક મોતની ઘટના સામે આવી છે. બાદ GPCBએ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી હતી. સાથે કંપનીને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આગની દુર્ઘટનામાં નબળી કામગીરી બદલ ઉધના મામલતદાર પાસેથી ચાર્જ છીનવાયો હતો.
Related Articles
અમરેલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ, સતત છઠ્ઠા દિવસે માવઠું
અમરેલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ...
May 11, 2025
સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ રદ કરાઈ
સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ...
May 10, 2025
સાપુતારામાં વાદળ ફાટ્યું, પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ, ઉનાળામાં ડાંગ જળબંબાકાર
સાપુતારામાં વાદળ ફાટ્યું, પૂર્ણા નદીમાં...
May 10, 2025
ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ, તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના
ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ,...
May 09, 2025
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
Trending NEWS

10 May, 2025