G-7 માટે કેનેડા નહીં જાય PM મોદી? 6 વર્ષ જૂની પરંપરા તૂટે તેવી શક્યતા
June 02, 2025

કેનેડામાં આયોજિત થઈ રહેલાં G-7 સંમેલનમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ નહીં લે. સંમેલન 15-17 જૂનની વચ્ચે કેનેડાના અલ્બર્ટામાં આયોજિત થઈ રહ્યું છે, જેમાં વડાપ્રધાનના સામેલ થવાની સંભાવના નહિવત છે. આવું છ વર્ષમાં પહેલીવાર થશે જ્યારે વડાપ્રધાન મોદી G-7 સંમેલનમાં ભાગ નહીં લે. સંમેલનમાં સામેલ ન થવા પાછળનું કારણ ભારત-કેનેડા તણાવ અને સુરક્ષાની ચિંતાને જણાવવામાં આવી રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ કેનેડા જવા માટેના હાલ કોઈ સંકેત નથી આપ્યા, ન તો કેનેડાના વડાપ્રધાન મોદીએ G-7માં સામેલ થવા માટે ભારતને નિમંત્રણ મોકલ્યું નથી. આ સિવાય ભારતે પણ સંમેલનમાં સામલ થવાની ઈચ્છા વ્યક્ત નથી કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 'ભારત-કેનેડા તણાવને જોતા અત્યાર સુધી બંને દેશોમાં સુધારો નહીં આવે ત્યાં સુધી ભારત તરફથી આવી હાઈ-પ્રોફાઇલ મુલાકાત સંભવ નથી. અહીં વાત G-7ની નથી પરંતુ, ભારત તેની મેજબાની કરી રહેલા દેશને જોતા ભારતે આ પગલું ભર્યું છે.'
કેનેડામાં આયોજિત થઈ રહેલાં G-7 સંમેલનમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ નહીં લે. સંમેલન 15-17 જૂનની વચ્ચે કેનેડાના અલ્બર્ટામાં આયોજિત થઈ રહ્યું છે, જેમાં વડાપ્રધાનના સામેલ થવાની સંભાવના નહિવત છે. આવું છ વર્ષમાં પહેલીવાર થશે જ્યારે વડાપ્રધાન મોદી G-7 સંમેલનમાં ભાગ નહીં લે. સંમેલનમાં સામેલ ન થવા પાછળનું કારણ ભારત-કેનેડા તણાવ અને સુરક્ષાની ચિંતાને જણાવવામાં આવી રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ કેનેડા જવા માટેના હાલ કોઈ સંકેત નથી આપ્યા, ન તો કેનેડાના વડાપ્રધાન મોદીએ G-7માં સામેલ થવા માટે ભારતને નિમંત્રણ મોકલ્યું નથી. આ સિવાય ભારતે પણ સંમેલનમાં સામલ થવાની ઈચ્છા વ્યક્ત નથી કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 'ભારત-કેનેડા તણાવને જોતા અત્યાર સુધી બંને દેશોમાં સુધારો નહીં આવે ત્યાં સુધી ભારત તરફથી આવી હાઈ-પ્રોફાઇલ મુલાકાત સંભવ નથી. અહીં વાત G-7ની નથી પરંતુ, ભારત તેની મેજબાની કરી રહેલા દેશને જોતા ભારતે આ પગલું ભર્યું છે.'
ભારત-કેનેડાના સંબંધ સપ્ટેમ્બર, 2023માં એવા સમયે ખરાબ થયા હતા, જ્યારે તત્કાલિન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં કથિત ભારતીય એજન્ટની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જોકે, ભારતે ત્યારે આ આરોપોને નકારી દીધા હતા. કેનેડાએ આ સંબંધિત તપાસની માંગ કરી હતી અને આ તપાસમાં અત્યાર સુધી કંઈ સામે નથી આવ્યું પરંતુ, બંને દેશના સંબંધ ખરાબ થયા છે.
કેનેડામાં હવે સરકાર બદલાઈ ગઈ છે. દેશના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારત સાથેના સંબંધોને સુધારવાને લઈને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જોકે, હજુ સુધી ભારત-કેનેડાના સંબંધોમાં કોઈ ખાસ સુધારો જોવા નથી મળ્યો.
Related Articles
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
એક તરફ કેનેડા-અમેરિકા એ વિઝા નિયમ કડક કર્યા ત્યાં બીજી તરફ ગુજરાતમાં છેતરપિંડીના કેસમાં ઉછાળો
એક તરફ કેનેડા-અમેરિકા એ વિઝા નિયમ કડક કર...
Jun 11, 2025
PM મોદીની કેનેડા મુલાકાત પહેલા સરેમાં ફાયરિંગ:મંદિરના પ્રમુખ પાસે 20 લાખ ડોલરની ખંડણી માગી
PM મોદીની કેનેડા મુલાકાત પહેલા સરેમાં ફા...
Jun 11, 2025
બાબા સિદ્દીકીની હત્યાના માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તરને કેનેડા પોલીસે કસ્ટડીમાં લીધો
બાબા સિદ્દીકીની હત્યાના માસ્ટરમાઈન્ડ ઝીશ...
Jun 11, 2025
Trending NEWS

27 June, 2025

27 June, 2025

27 June, 2025

26 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025