કેનેડામાં કમાણી થશે હજુ અઘરી! વર્ક પરમિટના નિયમોમાં થઈ રહ્યા છે આ ફેરફાર
October 10, 2024
કેનેડામાં વર્ક પરમિટના નિયમોમાં બદલાવ થતા ભારતમાં પણે તેની અસર જોવા મળશે. જેમાં કેનેડાએ તેના પોસ્ટ ગ્રઝ્યુએશન પરમિટ (PGWP)ના નિયમોમાં મોટા પાયે બદલાવ કર્યો છે, જેને આગામી એક નવેમ્બરથી લાગુ કરાશે. આ નિયમોમાં ન્યૂનતમ કેનેડિયન લેંગ્વેજ બેન્ચમાર્ક (CLB) 7નો સ્કોર હવે ફરજિયાત છે અને CELPIP, IELTS અને PTE CORE જેવા પરીક્ષાઓના પરિણામો સ્વીકારવામાં આવશે.g
કેનેડામાં લાંબા ગાળાના કાર્યબળની અછત જણાતા ક્ષેત્રોમાં લોકોને અગ્રતા આપવામાં આવશે, જેમ કે ખેતી, કૃષિ-ખોરાક, આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત (STEM), વેપાર અને પરિવહન. હાલના નિયમોમાં નવા નિયમો ઉમેરો થઈ રહ્યો છે. જેમાં ઉમેદવારોએ પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે માન્ય લાયક પોસ્ટ-ગ્રેજ્યુએશન સંસ્થાઓમાં તેમનું શિક્ષણ પૂર્ણ કરવું આવશ્યક છે. નવા નિયમો વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો કરવાની કેનેડા સરકારની વ્યૂહરચનાનો એક ભાગ છે.
એવુ માનવામાં આવે છે કે, નવા નિયમો પ્રમાણે કેનેડામાં નોકરી કરવા માટે અંગ્રેજીની સાથે ફ્રેંચ ભાષા પણ આવડવી અનિવાર્ય છે. કેનેડા સરકાર ભાષાની કુશળતા તપાસવા માટે પોતાના ધારાધોરણો તૈયાર કરી રહી છે. નોકરી મેળવવા માટે ઉમેદવારોએ આ ભાષાઓ વાંચવાની, લખવાની, સાંભળવાની અને બોલવાની ક્ષમતા સાબિત કરવી પડશે.
કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે મનપસંદ સ્થળો પૈકીનું એક છે. કેનેડિયન બ્યુરો ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશન (CBIE)ના 2022ના રિપોર્ટ અનુસાર, કેનેડામાં 3,19,130 ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં જાન્યુઆરીથી જૂન 2024 સુધીમાં એક લાખ હતા. જ્યારે કેનેડામાં કામ કરતા લોકો અને વિદ્યાર્થીઓની સંખ્યા 2019માં 4,37,000 થી વધીને 2023માં 1.2 મિલિયન થઈ.
તેની સાનુકૂળ ઇમિગ્રેશન પોલીસીના કારણે કેનેડાને ઘણા ભારતીયો માટે અમેરિકાના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. જો કે, તાજેતરના ફેરફારોને કારણે ભારતીયોને મોટો આંચકો લાગે તેવી શક્યતા છે. છેલ્લા એક દાયકામાં કેનેડા ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં ઘણા લોકો કાયમી નિવાસ (PR) મેળવવા માટે કામચલાઉ વર્ક પરમિટ માટે અરજી કરવાનું પસંદ કરે છે. જ્યારે નવા પ્રતિબંધોથી કેનેડામાં રહેતા ભારતીય લોકોની મહત્વાકાંક્ષાઓને ધીમી થશે અને ભારતીય વિદ્યાર્થીઓ માટે PR હાંસલ કરવાનું વધુ મુશ્કેલ બનશે
કેનેડાના વડાપ્રધાને સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, 'સરકાર આ વર્ષે 35 ટકા ઓછા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપશે અને આવતા વર્ષે આ સંખ્યામાં 10 ટકા ઘટડો થશે.' જ્યારે ભારત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, લગભગ 13.35 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં રહીને અભ્યાસ કરી રહ્યાં છે, જેમાંથી લગભગ 4,24,000 વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરે છે.
કેનેડા સરકારનો હેતુ ઓછા વેતન પર કામ કરતા અસ્થાયી વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવાનો છે અને તેમના કામના કલાકોની લંબાઈ પણ ઘટાડી રહી છે.
Related Articles
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની 26 ફેબ્રુઆરીએ ભારત, બંને દેશો વચ્ચે 5 મોટી ડીલ્સની શક્યતા
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની 26 ફેબ્ર...
Feb 24, 2026
કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ:શૂટર સહિત 9નાં મોત, 25 ઘાયલ; સ્કૂલમાં કુલ 175 વિદ્યાર્થીઓ હાજર હતા
કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ:શૂટર સહિત 9...
Feb 11, 2026
કેનેડાના નકલી વિઝા પેકેજનું કૌભાંડ:FIFA વર્લ્ડ કપ જોવા જવાની સાથે નોકરીની તક, સો.મીડિયા પર વીડિયો વાઈરલ, કેનેડા સરકારે લોકોને ચેતવ્યા
કેનેડાના નકલી વિઝા પેકેજનું કૌભાંડ:FIFA...
Feb 03, 2026
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો 100% ટેરિફ લાદી દઈશ : ટ્રમ્પની કેનેડાને ધમકી
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો...
Jan 26, 2026
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલું આમંત્રણ ટ્રમ્પે પાછું ખેંચી લીધું
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલ...
Jan 24, 2026
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ્પ ટેન્શનમાં, સહયોગીઓને કરવા લાગ્યા ફરિયાદ
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ...
Jan 19, 2026
Trending NEWS
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026