Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું

August 12, 2025

મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં નારાજગીના સમાચાર સામાન્ય છે. આ વચ્ચે આજે 12 ઓગસ્ટના રોજ કેબિનેટની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ઉપ-મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે હાજર રહ્યા નહોતા. તેઓ રવિવારથી જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં હતા.  એટલું જ નહીં, તાજેતરમાં જ એકનાથી શિંદે વિધાનસભા સત્રની વચ્ચે દિલ્હી આવ્યા હતા. અહીં તેમણે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ આજની બેઠકમાં તેમની ગેરહાજરીના કારણે મહારાષ્ટ્રની NDA સરકારમાં બધું બરાબર છે કે નહીં, તે સવાલ ફરી ઉઠવા લાગ્યો છે. અટકળોને વધુ વેગ એટલા માટે મળી રહ્યો છે કારણ કે તેમના નજીકના મંત્રી ભરત ગોગાવાલેએ પણ આ બેઠકમાં હાજરી આપી નહોતી. એવું માનવામાં આવે છે કે એકનાથ શિંદે પોતાને અને તેમના મંત્રીઓને અવગણવામાં આવતા હોવાથી નારાજ છે. ભલે તેમની પાસે હાલ વિકલ્પોની કમી હોય અને આ સમયે સાથ છોડવો યોગ્ય ન હોય, પરંતુ અંદરખાને નારાજગી યથાવત છે. તેમની એક ચિંતા એ પણ છે કે દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં શિવસેના કરતાં અજિત પવાર અને તેમના લોકોને વધુ મહત્ત્વ મળી રહ્યું છે. તેમજ ગોગાવાલેની નારાજગી અંગે એવું અહેવાલ છે કે તેમને રાયગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ન બનવવાના કારણે તેઓ નારાજ છે. NCPના અદિતિ તટકરેના નામ પર શિવસેના ભડકી ગઈ હતી, જેના કારણે અદિતિ તટકરેનું નામ પાછું ખેંચી લેવામાં આવ્યું, અત્યાર સુધી આ જિલ્લામાં પ્રભારી મંત્રીની જાહેરાત થઈ નથી.