Breaking News :
AIથી દુનિયા ખતમ થવાના દાવાને કાવતરું ગણાવી ટ્રમ્પનો વિરોધ, નિયંત્રણોથી ચીનને ફાયદો થવાની ચેતવણી રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ બોસ્ટનમાં વિઝા સમયમર્યાદા ઘટાડવાના ટ્રમ્પ નિયમ સામે જજે રોક લગાવી, વિદેશી વિદ્યાર્થીઓ-પત્રકારોને મોટી રાહત લગ્નેતર સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત ભારતમાં ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી 4.82%એ પહોંચી, ડુંગળી-લસણના ભાવ વધ્યા; RBIએ 5%નું અનુમાન રાખ્યું પેન્સિલવેનિયામાં ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું, 10 ગુજરાતીઓની ધરપકડ; 1.4 લાખ ગેરકાયદે વસ્તુઓ જપ્ત, 37 ખાતામાં 2 કરોડ ડૉલરના વ્યવહાર મળ્યા

કેન્દ્ર સરકારનું નોટિફિકેશન: 2000 રૂપિયા સુધીના યુપીઆઇ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ પર ચાર્જ વસૂલવા પર પ્રતિબંધ

September 15, 2026

ડિજિટલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે 2000 રૂપિયા સુધીના યૂપીઆઇ અને રૂપે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે સોમવારે સરકાર દ્વારા એક સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ કાનૂની દસ્તાવેજ મુજબ હવે કોઈપણ બેંક કે સિસ્ટમ પ્રોવાઇડર ગ્રાહકો પાસેથી આ મર્યાદા સુધીના વ્યવહારો માટે કોઈ પણ પ્રકારની ફી લઈ શકશે નહીં.

નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007ની કલમ 10A અંતર્ગત લાગુ કરાયો છે. આ કાનૂની નિયમ હેઠળ 2000 રૂપિયા સુધીની લેવડદેવડમાં પૈસા ચૂકવનાર કે મેળવનાર કોઈની પણ પાસેથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ચાર્જ લઈ શકાશે નહીં. ડિજિટલ અર્થતંત્રને વધુ સરળ અને પ્રોત્સાહક બનાવવાના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

અગાઉ ઓગસ્ટ મહિનામાં સરકારે એક નિશ્ચિત મર્યાદાથી વધુના યૂપીઆઇ મર્ચન્ટ વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવાના સંકેતો આપ્યા હતા. જોકે, તે સમયે પણ સરકારે ખાતરી આપી હતી કે સામાન્ય ગ્રાહકો અને બે વ્યક્તિઓ વચ્ચે થતા પેમેન્ટ સંપૂર્ણપણે નિઃશુલ્ક જ રહેશે. આ ફેરફારનો મુખ્ય હેતુ ભારતના ડિજિટલ પેમેન્ટ માળખાને ટકાઉ અને સ્પર્ધાત્મક બનાવીને દેશના વધતા ડિજિટલ અર્થતંત્રને મજબૂત ટેકો આપવાનો છે.

આ ઉપરાંત, નાણા મંત્રાલયે આ નીતિગત ફેરફારો પાછળ કોઈ બાહ્ય પરિબળોનો પ્રભાવ હોવાના દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા છે. મંત્રાલયે આવા અહેવાલોને સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા ગણાવીને રદિયો આપ્યો હતો. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને સક્ષમ બનાવવું એ જ તેમનો એકમાત્ર અને મુખ્ય ઉદ્દેશ્ય છે.