ગુજરાતમાં ઠંડીનો ચમકારો: નલિયા અને દાહોદ 10.8 ડિગ્રી સાથે ઠુંઠવાયા, 8 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે
November 18, 2025
ગુજરાતમાં શિયાળાએ ધીમે ધીમે જમાવટ કરવાનું શરૂ કરી દીધું છે. ઉત્તરીય ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ગત રાત્રિના આંકડા મુજબ, રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. સૌથી વધુ ઠંડી નલિયા અને દાહોદમાં 10.8 ડિગ્રી નોંધાઈ હતી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.જ્યારે સોમવારે રાત્રે ગુજરાતના અન્ય સ્થળોએ 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હોય તેમાં અમરેલી, વડોદરા, ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદર અને અમદાવાદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.9 ડિગ્રીથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી અમદાવાદનું તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જોકે, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે 20મી તારીખ બાદ ઠંડીના જોરમાં સાધારણ ઘટાડો થઈ શકે છે. ત્યાં સુધી રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. સોમવારે દિવસ દરમિયાન 29.7 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
માઉન્ટ આબુ 0 ડિગ્રી, ઠંડી કેમ વધી?
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ચાલુ સિઝનનું સૌથી નીચું 0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરીય ભાગોમાં વધેલી ઠંડી અને ત્યાંથી ફૂંકાતા પવનોની ગતિ જળવાઈ રહેવાના કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે.
ક્યાં સૌથી નીચું તાપમાન?
| શહેર | તાપમાન |
| નલિયા | 10.8 |
| દાહોદ | 10.8 |
| અમરેલી | 11.4 |
| વડોદરા | 12.4 |
| ગાંધીનગર | 12.8 |
| ડીસા | 13.6 |
| રાજકોટ | 14.0 |
| પોરબંદર | 14.0 |
| અમદાવાદ | 14.8 |
| ભુજ | 15.2 |
| ભાવનગર | 15.9 |
| કંડલા | 16.7 |
| સુરત | 19.4 |
Related Articles
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમ...
May 09, 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026