નેપાળમાં જળપ્રલય: 362નાં મોત, 30થી વધુ દેશોના નાગરિકો લાપતા

August 28, 2026

તિબેટમાં બુધવારે ગ્લેશિયર ફાટ્યા બાદ ચીન-નેપાળ સરહદી વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે. પૂર અને કાટમાળની ચપેટમાં આવવાથી સેંકડો લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે. બંને દેશોના અધિકારીઓ મુજબ, અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે અને 1,300થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે. લાપતા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ સામેલ છે, જેઓ યા તો ટ્રેકિંગ માટે આવ્યા હતા અથવા હિન્દુઓના પવિત્ર સ્થળોની યાત્રા પર હતા.

નેપાળમાં પૂરના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 8 જિલ્લાઓમાંથી કુલ 359 મૃતદેહો મળી આવ્યા છે. નેપાળ પોલીસના પ્રવક્તા અબી નારાયણ કફલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સુધારેલા આંકડાની પુષ્ટિ કરી છે. તાજેતરના આંકડા અનુસાર, રસુવાથી 17, નુવાકોટથી 28, ધાદિંગથી 33, ચિતવનથી 132, ગોરખાથી 30, તનહુંથી 22, નવલપરાસી પૂર્વથી 82 અને નવલપરાસી પશ્ચિમથી 15 મૃતદેહ મળ્યા છે.

પોલીસ, સેના અને અન્ય રાહત એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત બચાવ કામગીરી ચલાવી રહી છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.